Breaking

Post Top Ad

Your Ad Spot

Monday, January 11, 2021

બાળ સંભાળ ગૃહના અનાથ બાળકે ૧૮ વર્ષ પૂર્ણ કરતાં પુનઃસ્થાપન માટે રૂ. ૭૮ હજારની સહાય ચેક અર્પણ કરતાં કલેકટર શ્રી રેમ્યા મોહન


 
રાજકોટ તા.૧૧ જાન્યુઆરી- ભારત સરકારના જુવેનાઇલ જસ્ટીસ એકટ અન્વયે બાળ સંભાળ ગૃહમાં રહેતા અનાથ બાળક ૧૮ વર્ષ પૂર્ણ થયા બાદ આ યુવકના પુનઃસ્થાપન માટે ગુજરાત સરકાર દ્વારા ‘આફટર કેર’ યોજના અમલી બનાવાઇ છે. આ યોજના હેઠળ બાળકને ૧૮ થી ૨૧ વર્ષ સુધી પ્રતિ માસ રૂ.૬૦૦૦ માસિક સહાય ચૂકવવામાં આવે છે. 

  રાજકોટના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના પ્રકાશ જીતુભાઇ કોળી ૧૮ પૂર્ણ કરતાં તેઓને આ યોજના હેઠળ રાજયભરમાં સર્વ પ્રથમ કેસમાં રાજકોટ ખાતેની આફટર કેર કમિટિ દ્વારા આ સહાય મંજૂર કરવામાં આવી છે. જેના ભાગરૂપે કલેકટર શ્રી રેમ્યા મોહને  આ યુવકને રૂ. ૭૮ હજારની સહાયનો ચેક અર્પણ કર્યો હતો. 

       કલેકટર શ્રી રેમ્યા મોહને આ પ્રસંગે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજયમાં સહાય કમિટી દ્વારા રાજકોટના આ યુવકને પ્રથમ સહાય મંજૂર કરાઇ છે. આ યોજના બાળ સંભાળ ગૃહના અનાથ બાળકોને પગભર થવા, ઉચ્ચ અભ્યાસ કરવા તેમજ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે ખૂબ ઉપયોગી થશે.   

આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મેહુલગીરી ગોસ્વામી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી મિત્સુ વ્યાસ,  ચિલ્ડ્રન હોમ ફોર  બોયઝના અધિક્ષકશ્રી પંકજ દુધરેજિયા વગેરે ઉપસ્થિત રહયા હતા.   


No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot