સુરત:સોમવાર: સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાની લાજપોર ખાતે રૂા.૧૮ લાખના ખર્ચે નવનિર્મિત થયેલા ગ્રામ પંચાયતના ભવનનું લોકાર્પણ સામાજિક ન્યાય-અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારના હસ્તે કરાયું હતું. સાથે ૮૩ જેટલા પ્રધાનમંત્રી આવાસો બનાવવાનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું. આ પ્રસંગે અગ્રણી સંદીપ દેસાઇ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી પરમારે જણાવ્યું હતું કે, દરેક વ્યકિતને ઘરનું ઘર મળે તે દિશામાં આ રાજય સરકાર કાર્ય કરી રહી છે. ગ્રામ પંચાયતના લોકોને આધુનિક સુવિધા સાથેનું પંચાયત મળવાથી ગામના લોકોની સુખાકારીમાં વધારો થશે. ૨૧ જેટલા સરપંચોમાં અશોકભાઈ પટેલે અભિનંદન પાઠવી અન્ય સરપંચો પણ તેમના ગામમાં રાજય તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભો મેળવીને તેમના ગામને શ્રેષ્ઠ બનાવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
No comments:
Post a Comment