Breaking

Post Top Ad

Your Ad Spot

Monday, September 21, 2020

બોટાદ જિલ્લામાં રાજ્ય સરકારની નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (ASD) નો લાભ મેળવી શકાશે....યોજનાનો લાભ મેળવવા માટે મામલતદાર કચેરીનો સંપર્ક કરવો

 


માહિતી બ્યુરો
, બોટાદઃ-

        બોટાદ નિવાસી અધિક કલેકટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ નિયામકશ્રી સમાજ સુરક્ષા વિભાગ-ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારની નિરાધાર વૃધ્ધ સહાય યોજના અમલી મુકવામાં આવેલ છે. જેમાં જિલ્લાના ૪૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને ૭૫% થી વધુ વિકલાંગતા ધરાવતા તેમજ ૨૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર કે પૌત્ર ન ધરાવતા હોય તેવા નાગરિકો રાજ્ય સરકારશ્રીની નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (ASD) નો લાભ મેળવી શકે છે.

        આ યોજનાનો લાભ મેળવવા માટે અરજાદરશ્રીની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ. આ યોજનામાં લાભાર્થીને દર માસે રૂ.૭૫૦/- ની સહાય ડી.બી.ટી મારફત મળવાપાત્ર છે તેમજ આ યોજનાનો લાભ મેળવવા માટે મામલતદાર કચેરીનો સંપર્ક કરવો.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot