માહિતી બ્યુરો, બોટાદઃ-
બોટાદ
નિવાસી અધિક કલેકટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ નિયામકશ્રી સમાજ સુરક્ષા
વિભાગ-ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારની નિરાધાર વૃધ્ધ સહાય યોજના અમલી મુકવામાં આવેલ
છે. જેમાં જિલ્લાના ૪૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને ૭૫% થી વધુ વિકલાંગતા ધરાવતા
તેમજ ૨૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર કે પૌત્ર ન ધરાવતા હોય તેવા નાગરિકો રાજ્ય
સરકારશ્રીની નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (ASD)
નો લાભ મેળવી શકે છે.
આ
યોજનાનો લાભ મેળવવા માટે અરજાદરશ્રીની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/-
અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/-
થી વધુ ન હોવી જોઈએ. આ યોજનામાં લાભાર્થીને દર માસે રૂ.૭૫૦/- ની સહાય ડી.બી.ટી
મારફત મળવાપાત્ર છે તેમજ આ યોજનાનો લાભ મેળવવા માટે મામલતદાર કચેરીનો સંપર્ક કરવો.
No comments:
Post a Comment