કાલોલ તાલુકાના શામળદેવી પંચાયતના મહિલા સરપંચનું જુલાઈ મહિનામાં અવસાન નિપજતા પાછલા દોઢ મહિનાથી પંચાયતનો વહીવટ ડેપ્યુટી સરપંચ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ દોઢ મહિનામાં ડેપ્યુટી સરપંચના વહીવટ સામે આક્ષેપો લાવી બહુમતી એવા સાત સભ્યોએ એકમત બની તા:-૧૪/૯/૨૦૨૦ ના રોજ પંચાયતના તલાટી અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. શામળદેવી પંચાયતના નવ સભ્યો પૈકી સાત સભ્યોએ એકમત થઈને લાવેલી અવિશ્વાસની દરખાસ્તના આક્ષેપો મુજબ હાલમાં પંચાયતનો વહીવટ કરતા ડેપ્યુટી સરપંચ નામે મુકેશભાઈ વિનોદભાઈ પારઘીએ સરપંચના અવસાન બાદ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના અંગતરીતે પંચાયતના નાણાંકીય વ્યવહારો ધરાવતી બેંકોમાં સહીના નમુના પોતાની રીતે બદલીને શૌચાલય યોજનામાં લાભાર્થીઓને અન્યાય કરી નાણાંકીય વ્યવહારોમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. તદ્ઉપરાંત પંચાયતની યોજનાના કામો પણ મનસ્વી રીતે નિર્ણયો કરી પોતાની સરમુખત્યારશાહીનો વહીવટી અને ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરી બહુમતી સભ્યોએ ડેપ્યુટી સરપંચના વહીવટ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હતી. તેને ધ્યાનમાં લઈને આજે તા.૨૫/૯/૨૦૨૦ ના રોજ શામાળદેવી ગ્રામપંચાયતમાં વિસ્તરણ અધિકારી વેજલપુર ની હાજરીમાં સામાન્ય સભા બોલાવી આંગળી ઉંચી કરીને વોટિંગ કરવામાં આવ્યું હતું.જેમાં સાત સભ્યો એ ડેપોટી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત માં આંગળી ઉંચી કરી હતી ,જ્યારે અન્ય ડેપ્યુટી સાથે ત્રણ સભ્યોએ અવિશ્વાસ ની દરખાસ્ત વિરુદ્ધ આંગળી ઉંચી કરી હતી.તેથી સાત સભ્યોની બહુમતીથી અવિશ્વાસ પસાર કરવામાં આવતાં અને તેમને વિશ્વાસ અપાવવામાં નિષ્ફળ રહેલા ડેપ્યુટી મુકેશભાઈ પારઘીએ ડેપ્યુટી સરપંચનું સભ્ય પદ ગુમાવ્યું હતું.ત્યારે હવે શામળદેવી ગ્રામપંચાયતની ચૂંટણીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે કે વહીવટી અધિકારી મુકવા કે પછી નવા ડેપ્યુટી માટે ચૂંટણી કરવી ??
બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ
No comments:
Post a Comment