સુરતઃસોમવારઃ- રાષ્ટ્રીય મહિલા આયોગ નવી દિલ્હીના સભ્ય ડો.રાજુલબેન દેસાઈએ આજરોજ દક્ષિણ ગુજરાતના ત્રિ-દિવસીય પ્રવાસના પ્રથમ દિને સુરત ખાતે જિલ્લા કલેકટર, પોલીસ કમિશનરશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ યુનિવર્સિટીઓના આઈ.સી. મેમ્બરો સાથે તબક્કાવાર પરામર્શ બેઠકો યોજીને કેન્દ્ર તથા રાજય સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓ, મહિલાઓને લગતા પ્રશ્નો બાબતે પરામર્શ કર્યો હતો.
ડો.રાજુલબેન દેસાઈએ જણાવ્યું હતું કે, મહિલાઓને સુરક્ષા, આરોગ્ય અને શિક્ષણના અધિકારો મળી રહે તેમ માટે મહિલા આયોગ કાર્યરત છે. મહિલાઓને લાગે કે, કોઈ તેમની રજુઆતો સાંભળતુ ન હોય તો તેઓ રાષ્ટ્રીય મહિલા આયોગનો સંપર્ક સાધી શકે છે. કોઈ પણ શોષીત, પિડીત કે હિંસાનો ભોગ બનેલી મહિલાઓને તબીબી, કાયદાકીય કે અન્ય કોઈ પણ સહાય જોઈતી હોય તો તેઓ નવી સિવિલ હોસ્પીટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, નાની વયની દીકરીઓને બેડ ટચ ગુડ ટચની સમજણ આપવામાં આવે તે જરૂરી છે. આ અંગેની પ્રશ્નોત્તરી દ્વારા માટે પ્રત્યુચર મેળવાય તેઓ સુચન તેમણે કર્યું હતું. જિલ્લાના અધિકારીઓને નવી સિવીલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરની સમયાતરે મુલાકાત લેવાનો અનુરોધ પણ તેમણે કર્યો હતો.
આજની યુવાપેઢીમાં મહિલાઓ પ્રત્યે સન્માનની ભાવના કેળવાય તેવા આશયથી સમયાતરે માર્ગદર્શક સેમિનાર યોજાઈ તેમજ દીકરીઓના ઉછેર માટે લોકોની માનસિકતામાં બદલવાય આવે તેવા આશયથી મેરી બેટી મેરા અભિયાન હેઠળ વોલ પેઈન્ટીગ દ્વારા જનજાગૃતિ કેળવવાની હિમાયત તેમણે કરી હતી.
પોલીસ કમિશનર ખાતેની બેઠકમાં ડો.રાજુલબેને મહિલા પોલીસ અધિકારીઓને કહ્યું કે, આપની પાસે પીડિત, શોષિત મહિલાઓ આવે ત્યારે આપણે એક મહિલા તરીકે સંવેદનશીલતા-સહાનુભૂતિપૂર્વક સાથે સંવાદ સાધવાનો અનુરોધ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ કંપની, સંસ્થા, સરકારી કે ખાનગી ઓફિસો, યુનિવર્સિટીઓમાં ૧૦ થી વધુ કર્મચારીઓ હોય તે માટે ઈન્ટરનલ કમિટી બનાવવી જરૂરી છે. જેથી કોઈ પણ મહિલાઓ ધંધા કે નોકરીના સ્થળોએ પીડિત મહિલા ફરિયાદ કરી શકે છે.
આ વેળાએ કેન્દ્ર અને રાજય સરકારની મહિલાઓના કલ્યણને લગતી યોજનાઓનો વધુમાં વધુ પ્રસાર-પ્રચાર થાય રોજગાર, ડીઆરડીએ, મહિલા બાળ વિકાસ વિભાગની મહિલાલક્ષી યોજનાઓના છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલી કામગીરીની દરેક વિભાગોએ પાવર પ્રેઝન્ટેશન દ્વારા રજુ કરી હતી. આ વેળાએ જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી સંજય વસાવા સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ કમિશનરશ્રી કચેરી ખાતે પો.કમિશનરશ્રી અજય તોમર ઉપસ્થિત રહ્યા હતા.
બપોર બાદ ડો.રાજુલબેન દેસાઈએ નવી સીવીલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા.
No comments:
Post a Comment