માહિતી બ્યુરોઃ વલસાડઃ તા.૧૧: વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના સંયુક્ત ઉપક્રમે તા.૧૨ મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી, રાષ્ટ્રીય યુવાદિન નિમિત્તે વર્ચ્યુઅલ યુથ કન્વેન્શનનું આયોજન ૧૦-૦૦ કલાકે કરવામાં આવ્યું છે વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના યુવાનો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે.
ધરમપુર અને વલસાડ ખાતે સ્થિત સ્વામી વિવેકાનંદજીની
પ્રતિમાને સવારે પુષ્પાંજલિ કરવામાં આવશે,
જેમાં નગરના શ્રેષ્ઠીઓ અને ટ્રસ્ટના અગ્રણીઓ જોડાશે.
આ વર્ચુયલ યુથ કન્વેન્શનમાં વલસાડ જિલ્લા કલેકટરશ્રી આર
આર રાવલ, શ્રી
રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નીખિલેશ્વરાનંદાજી, ધરમપુરના ડૉ.
દોલતભાઈ દેસાઈ, ૪૦૦ મીટર
દોડની ગોલ્ડ મેડાલીસ્ટ સરિતા ગાયકવાડ(ડાંગ), લોન્ગ ડીસ.રનર મુરલી ગામીત (ડાંગ), સુફી ગાયક શ્રી
ભાવિન શાષાી, ક્રીડાભારતી
સુરતના મંત્રી જગદીશભાઈ ચાવડા,
અમરોલી વિજ્ઞાન કોલેજના આચાર્ય શ્રી અશ્વિનભાઈ રાવલ, પુણાગામ
સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય વિજયભાઈ પટેલ તેમજ અભિનેત્રી પૂજા ઝવેરી આ પ્રસંગે
વર્ચ્યુઅલી સંબોધન કરશે.
તા.૧૨/૧/૨૧ના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યે યોજાનારા યુથ કન્વેન્શનમાં
વધુ ને વધુ યુવાનો જોડાય એવા પ્રયત્નો કરવા શાળા પરિવાર દ્વારા કરવામાં આવશે. આ
કાર્યક્રમ થકી યુવાનોમાં રાષ્ટ્રીય એકતામાં ભાવના, સમાજસેવાના ગુણોનો વિકાસ થશે સાથે સાથે દરેક વિદ્યાર્થીના
શૈક્ષણિક જીવનમાં નવો આર્ક આવશે એમ જણાવી તમામને આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં
ઉમળકાભેર જોડાવવા હાકલ કરી હતી.
યુ ટયુબ ઉપર Arise Awake ચેનલ ઉપર યુવા ભાઈબહેનો અને શિક્ષકમિત્રો પોતાના શાળા
પરિવાર અને તમામ લોકો આ કાર્યક્રમને
નિહાળી શકશે
No comments:
Post a Comment