Breaking

Post Top Ad

Your Ad Spot

Tuesday, November 3, 2020

ઊંઝા ફેક્ટરીમાંથી 4.32 લાખના તરબૂચના બીજનું બારોબારિયું,


 મક્તુપુર ગામે આવેલી ઇનાની કોર્પોરેશન નામની ફેક્ટરીના મેનેજર, મશીન ઓપરેટર સહિત ત્રણ શખ્સોએ રૂ.4,36,800ની કિમતના 10,920 કિલો તરબૂચ (મગજતરી)ના બીજની ચોરી કરી બારોબાર વેચી માર્યા હોવાની ઊંઝા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.મૂળ રાજસ્થાનના જોધપુર ઓસીયાના વેપારી રાજેન્દ્રકુમાર ઇનાનીની મક્તુપુરમાં ઇનાની કોર્પોરેશન ફેક્ટરી આવેલી છે. જેઓ 7 ફેબ્રુઆરી 2020એ આફ્રિકા ગયા અને લોકડાઉન જાહેર થતાં ત્યાં રોકાઇ ગયા બાદ 31 જુલાઇએ પરત ભારત આવ્યા હતા. કવોરન્ટાઇન મુક્ત થયા બાદ 30 ઓગસ્ટે ફેક્ટરીએ આવતાં ફેક્ટરીના મેનેજર સંત રાજેન્દ્ર બાબુદાસ, મશીન ઓપરેટર મેઘવાલ દિનેશ રાણારામજી તથા કિરણજી સોવનજી ઠાકોરે મગજતરીના બીજની 182 બોરી વેચી મારી પૈસા વાપરી નાંખ્યા હોવાનું જણાતાં ફરિયાદ નોંધાવી છે.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot