Breaking

Post Top Ad

Your Ad Spot

Friday, October 2, 2020

છોટાઉદેપુર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે

 


છોટાઉદેપુર: તા. ૦૨:

        ગુજરાત સરકાર દ્વારા ખરીફ માર્કેટિંગ સિઝન ૨૦૨૦-૨૧ અન્વયે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે સરકારની એજન્સી તરીકે ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડની પસંદગી કરવામાં આવી છે. રૂા. ૫૨૭૫/- પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ નકકી કરવામાં આવ્યો છે. એટલે કે, પ્રતિ મણ રૂા. ૧૦૫૫ નકકી કરવામાં આવ્યો છે. ભારત સરકારના ધોરણો મુજબ ફેર એવરેજ ક્વાલિટી મુજબનો ખરીદ કરવાનો થશે. હેકટરદીઠ તાલુકાવાર ઉત્પદકતા મુજબ ખરીદી કરવાની થશે. અને પ્રતિદિન/પ્રતિ ખેડૂત ૨૫૦૦ કિલોગ્રામ જથ્થાની મર્યાદામાં ખરીદી કરવામાં આવશે. મગફળી ખરીદીનો સમયગાળો તા. ૨૧/૧૦/૨૦૨૦થી શરૂ કરી ૯૯૦ દિવસ સુધીનો રહેશે.

        છોટાઉદેપુર જિલ્લામાં મગફળીનો ખરીદી માટે એ.પી.એમ.સી, છોટાઉદેપુર ખરીદ કેન્દ્ર નકકી કરવામાં આવેલ છે. આ ખરીદ કેન્દ્ર માટે ખેડુતો પોતાની મગફળી પાક વેચાણપ્ માટે નોંધણી કરાવશે અને નોંધણી અંગેની તારીખ ૦૧/૧૦/૨૦૨૦ થી તા. ૨૦/૧૦/૨૦૨૦ રહેશે. નોંધણીની પ્રક્રિયા એનઆઇસીના આઇડીએસપી પોર્ટલ (http//idps.gujarat.gov.in) થશે. તેમજ નોંધણી પ્રક્રિયા દરેક ખરીદ કેન્દર્ના એપીએમસી ખાતે તથા ગ્રામ્ય કક્ષાએ વીસીઇ મારફત જ કરવાની રહેશે. ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતોના રજીસ્ટરેશન અંગેના દસ્તાવેજો જેવા કે ૭/૧૨, ૮-અ બેંક પાસબુકની નકલ(IFSC CODE સાથે) કેન્સલ ચેક, વાવેતરનો તલાટીનો દાખલો, આધારકાર્ડની નકલ જેવા સાધનિક કાગળો સાથે ગર્ામ્ય કક્ષાએ વીસીઇમારફત જ નોંધણી કરવાની રહેશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારી સંજયભાઇ ભગરિયાએ જણાવ્યું છે.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot