પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપરુમાં આસામ રાઈફલ્સના કાફલા પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેમણે આજે શહીદ થયેલા જવાનો અને તેમના પરિજનોને શ્રદ્ધાંજલિ આપી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુ;
“મણિપુરમાં આસામ રાઈફલ્સના કાફલા પર હુમલાની આકરી નિંદા કરૂં છું. હું એ સૈનિકો અને તેમના પરિવારના સભ્યોને શ્રદ્ધાંજલિ આપું છું જેઓ આજે શહીદ થયા છે. તેમના બલિદાનને ક્યારેય નહીં ભૂલાવી શકાય. દુઃખની આ પળે મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારોની સાથે છે.”
No comments:
Post a Comment