સાબરકાંઠા જિલ્લાના અને રાજ્યના યુવાનોને રોજગારલક્ષી જાણકારી અને ભરતીમેળા સંબધીત જાણકારી મળી રહે તે હેતુથી સ્વામી વિવેકાનંદના જન્મ દિવસે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તા.૧૨ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ શ્રમ અને રોજગાર વિભાગની ત્રણ નવી યોજનાઓ ૧. રોજગાર સેતુ-‘કોલ સેન્ટર’ ૨. ઓનલાઇન રોજગાર ભરતીમેળા અને ૩. એપ્રેન્ટીસ અધિનિયમ અંતર્ગત મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાઓનું ઇ-શુભારંભ કરાવ્યો હતો.
રોજગાર સેતુના માધ્યમથી રાજ્યના રોજગારવાંચ્છુ ઉમેદવારો કોરોના વાયરસથી સંક્રમિત ન થાય, તેઓને અભ્યાસલક્ષી, કારકીર્દિલક્ષી તેમજ રોજગાર- સ્વરોજગારલક્ષી સચોટ માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે રાજ્યના કોઇ પણ સ્થળેથી રોજગારવાંચ્છુ ઉમેદવાર ટોલ ફ્રી નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર ફોન કરી ઘરે બેઠા ટેલીફોનિક સંપર્ક કરી માહિતી મેળવી શકે છે.
તા.૧૧ થી ૨૫ જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં રાજ્યમાં યોજાનાર
ઓનલાઇન ભરતીમેળા દ્વારા કુલ ૨૫૦૦૦ ખાલી જગ્યા સામે ૧૦૦૦૦ રોજગારી આપવામાં આવનાર
છે. જ્યારે સાબરકાંઠા રોજગાર કચેરી દ્વારા જિલ્લામાંથી તથા જિલ્લા બહારથી કુલ ૫૮૦
ખાનગીક્ષેત્રની ખાલી જગ્યાઓ સામે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમાંત્રીશ્રીએ
એપ્રેન્ટીસશીપ યોજનાની માહિતી પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા વિકાસ
અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી
સભાખંડમાં વિડિયો કોન્ફરન્સમાં રોજગાર કચેરીના અધિકારી/કર્મચારીઓ, આઇ.ટી.આઇ.ના પ્રિન્સીપાલશ્રી, એપ્રેન્ટીસ એડવાઇઝર, નોકરીદાતાઓ
અને ઉમેદવારો હાજર રહ્યા હતા. ઉપરાંત, આશરે
૫૦૦ કરતાં વધું ઉમેદવારોએ પણ આ કાર્યક્રમ https://www.youtube.com/watch?v=F2mzXA9Opwk&feature=youtu.be લિંક, ગુગલ મીટ એપ્લિકેશન
દ્વારા તથા ફેસબુક/યુટ્યુબના માધ્યમથી ઓનલાઇન નિહાળ્યો હતો. સદર પખવાડિયા દરમ્યાન
યોજાનાર ઓનલાઇન ભરતીમેળામાં ભાગ લેવા માટે ઇચ્છુક રોજગારવાંચ્છુ ઉમેદવારોને https://rb.gy/fetj71 લિંકમાં
પોતાનું સત્વરે રજીસ્ટ્રેશન કરવા રોજગાર અધિકારીશ્રી સાબરકાંઠા હિંમતનગર દ્રારા અનુરોધ કરવામાં આવ્યો
હતો.
No comments:
Post a Comment