શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને મળેલી પરામર્શ સમિતિ નંબર – ૪ ની બેઠકમાં એક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે ,કોરોના કાળ દરમ્યાન બાયાસેગ મારફત ચેનલ ડી.ડી. ગિરનાર પર બાળકોને શૈક્ષણિક અભ્યાસનો મહાવરો સતત જળવાઇ રહે તેવી વ્યવસ્થા કરીને સમયનો સદઉપયોગ કર્યો છે. ધોરણ -૧ થી ૮ માટે મટીરીયલ્સ મોકલી કુટુંબની સલામતી અને માતા-પિતાની હુંફ સાથે ગમત સાથે જ્ઞાન આપવા તા. ૨૫ માર્ચથી ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. JEE અને NIT માં પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા ફી ભરવી પડતી હતી. જેનું વિના મૂલ્યે માર્ગદર્શન મળ્યું છે.
આ
પરામર્શ સમિતિની બેઠકમાં સાસંદ શ્રી રમેશભાઇ ધડુકના ૩૩ પ્રશ્ન તથા ધારાસભ્ય સર્વે
શ્રી હિંમતસિંહ પટેલના ૧૫ પ્રશ્નો, શ્રી જગદીશભાઇ
પટેલના ૧૬ પ્રશ્નો અને શ્રી સંજયભાઇ
સોલંકીના ૪ પ્રશ્નો મળી કુલ ૬૮ પ્રશ્નો રજૂ થયા હતા. જૈ પૈકી બેઠકમાં ઉપસ્થિત
સાંસદ શ્રી હસમુખભાઇ પટેલ અને ધારાસભ્ય સર્વેશ્રી જીજ્ઞેશકુમાર સેવક, કનુભાઇ દેસાઇ, સંજયભાઇ સોલંકી, બાબુભાઇ બોખરિયા, શિવાભાઇ ભૂરિયા અને બળદેવજી
ઠાકોરના પ્રશ્નનો પરામર્શ કરી સંતોષકારક ઉત્તરો પાઠવ્યા હતા.
No comments:
Post a Comment