·
સુભાષ પાલેકર
પ્રાકૃતિક કૃષિ જન અભિયાનના જિલ્લા-તાલુકા સંયોજકોને વેબિનાર દ્વારા માર્ગદર્શન
આપતા રાજ્યપાલશ્રી
ગુજરાતના
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાત રાજ્યમાં ચાલી રહેલાં સુભાષ પાલેકર પ્રાકૃતિક
કૃષિ જન અભિયાનના જિલ્લા અને તાલુકા સંયોજકોને વેબિનાર દ્વારા માર્ગદર્શન આપ્યું
હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ખેતી અને ખેડૂતોની ઉન્નતિ માટે પ્રાકૃતિક
કૃષિ એક મજબૂત વિકલ્પ છે. પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક કૃષિમાં નહિવત
કૃષિ ખર્ચ અને વધુ ઉત્પાદન ઉપરાંત ઝેર મુક્ત કૃષિ ઉત્પાદનોના વધુ ભાવ મળવાને કારણે
ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
રાજ્યપાલશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ઝેરમુક્ત
પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની માંગ વધી રહી છે ત્યારે દેશભરના ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ
અપનાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ
મોદીના વર્ષ 2022 માં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવા પુરુષાર્થ
કરવો જોઈએ.
આ વેબિનારમાં રાજ્યભરના જિલ્લા અને તાલુકા કક્ષાના સંયોજકો
ઉપસ્થિત રહ્યાં હતા જ્યારે ગુજરાત પ્રદેશના સંયોજક શ્રી પ્રફુલભાઈ સેંજલિયા, શ્રી
દિક્ષિત પટેલ ઉપરાંત ડૉ. રમેશભાઈ સાવલિયા, નીલકંઠ ધામ, પોઇચાના કેવલ્ય સ્વરૂપ સ્વામીશ્રી,
પ્રો. ખીમજીભાઈ ચંદ્રાવાડિયા અને શ્રી રઘુભાઈ પટેલે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ જન
અભિયાન સંદર્ભે વિશેષ માહિતી આપી હતી.
No comments:
Post a Comment