વલસાડ જિલ્લાના
ઉમરગામ તાલુકાના મોહનગામ ખાતે બ્રાહ્મણ ફળિયા, હોળી ફળિયા,
પાલીધુંઆઘ ધનવા ફળિયાને જોડતા રૂા.૧.૨૦ કરોડના ખર્ચે નવીનીકરણ થનારા વિવિધ ૬.૫
કિ.મી.ના રસ્તાઓનાં ખાતમુહૂર્ત વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યક્ક્ષાના
મંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્તે કરાયું હતું.
આ અવસરે
આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, લોકોની
અપેક્ષાઓને પૂર્ણ કરવા રસ્તા,
પાણી, પેવર બ્લોક
વગેરે કામો સત્વરે પૂર્ણ થાય એ પ્રકારનું રાજ્ય સરકારે સુચારુ આયોજન કર્યું છે.
ગામમાં બનાવવામાં આવનારા તમામ રસ્તાઓની કામગીરી યોગ્ય રીતે થાય તે માટે ગ્રામજનો
તકેદારી રાખે તે જરૂરી છે. મંત્રીશ્રીએ મોહનગામમાં થનારા વિકાસકાર્યોની જાણકારી
આપતાં વધુમાં જણાવ્યું હતું કે,
વલસાડ જિલ્લામાં છ હજાર સાતસો અવાસો મંજૂર કરાયા છે. સૌને સાથ સૌનો વિકાસ
સૂત્રને વરેલી સરકારે દરેક ગામોમાં પાયાકીય સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે, આ સુવિધાનોની
જાળવણી કરવાની જવાબદારી પ્રજાજનો નિભાવે તે જરૂરી છે. નળથી જળ યોજના હેઠળ ઘરે-ઘરે
નળથી પાણી આપવામાં આવશે. વિધવા પેન્શન યોજના હેઠળ તમામ લાભાર્થીઓને લાભ સત્વરે
મળી જાય તે માટે વિશેષ વ્યવસ્થા કરી છે. સખીમંડળોને એક લાખ રૂપિયા સુધીની લોન, સાત પગલાં ખેડૂત
કલ્યાણના હેઠળ ખેડૂતલક્ષી સાત યોજનાઓના અમલીકરણ થકી સૌને આત્મર્નિભર બનાવવાના
પ્રયાસો હાથ ધરાયા છે.
કોરોના
મહામારી સામે રક્ષણ મેળવવા રાજ્ય અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા
તેમજ લગ્ન સમારંભો પણ સાદગીથી પૂરતી કાળજી રાખી કરવા જણાવ્યું હતું.
મોહનગામના
સરપંચ સતીષભાઇએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી ગામમાં થયેલા વિકાસ કાર્યોની
રૂપરેખા આપી હતી.
આ અવસરે
અગ્રણી મુકેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ
ખાતમુહૂર્ત કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર તેજસ પટેલ, ગામના સરપંચ
સતિષભાઇ, માજી
સરપંચ ચિન્તુભાઇ, ઉમરગામ
તાલુકા અગ્રણી પ્રકાશભાઇ પટેલ,
રામદાસભાઇ વરઠા, ગામ
અગ્રણી નીતિનભાઇ ગુરુજી, અજયભાઇ,
અશોકભાઇ સહિત ગ્રામજનો હાજર રહયા હતા.
No comments:
Post a Comment