આર્થિક
સુખાકારી ધરાવતા કુટુંબોને પોતાનો હક્ક જતો કરવા વલસાડ કલેક્ટર આર.આર.રાવલની
જાહેર અપીલ
રાજ્ય
સરકાર દ્વારા તાજેતરમાં કરાયેલી જોગવાઇ મુજબ રેશનકાર્ડથી વિતરણ કરવામાં આવતું અનાજ
એ ફક્ત ગરીબો માટેની યોજના છે.
જે અન્ય
રેશનકાર્ડધારકોને મળવાપાત્ર થતું નથી. જેમને રેશનિંગનું અનાજ મળવાપાત્ર નથી તેમાં
જે કુટુંબ યાંત્રિક રીતે ચાલતું ચાર પૈંડાનું વાહન કે યાંત્રિક માછીમારીની બોટ
ધારણ કરતા હોય, કુટુંબનો
કોઇપણ સભ્ય સરકારી કર્મચારી હોય (સિવાય કે સરકારી કચેરી, બોર્ડ નિગમ, અન્ય સરકારી
એજન્સી, સ્થાનિક
સ્વરાજની સંસ્થાઓ સહિત સંબંધિત કચેરીઓમાં આઉટ સોર્સિંગથી વર્ગ-૪ની કામગીરી કરતો
હોય), માસિક
આવક ૧૦ હજારથી વધુ હોય, કુટુંબનો
કોઇપણ સભ્ય આવકવેરો ચૂકવતો હોય,
જે કુટુંબ પાંચ એકર કે તેથી વધુ બે કે તેથી વધુ સીઝનમાં પાક લેતી પિયતવાળી
જમીન ધારણ કરતો હોય, જે
કુટુંબ ૭.૫ એકર કે તેથી વધુ બે કે તેથી વધુ સીઝનમાં પાક લેતી પિયતવાળી જમીન ધારણ
કરતું હોય કે શહેરી વિસ્તારમાં પાકું મકાન ધરાવતા હોય તેમનો સમાવેશ થાય છે.
ઉક્ત
આર્થિક સધ્ધરતા કાર્ડધારકોના કારણે સરકારને વધારાનો બોજ પડે છે. આવા કાર્ડ ધારકોએ
સ્વૈચ્છાએ પોતાનું એન.એફ.એસ.એ. યોજના હેઠળનો હક્ક જતો કરવા માટે સબંધિત મામલતદાર, પુરવઠા કે જે તે
સરકાર માન્ય વાજબી ભાવની દુકાને રેશનકાર્ડની નકલ જોડી અરજી કરવા જિલ્લા કલેક્ટર
આર.આર.રાવલ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. આ અંગે આગામી તા.૧૫/૧૨/૨૦૨૦થી વિશેષ
ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. આ ઝુંબેશ દરમિયાન જે કુટુંબના આર્થિક સુખાકારી
હોવાના પુરવા મળશે તો નિયમાનુસાર કાર્યવાહી કરવાની સાથે જરૂરી જણાયે ફોજદારી ગુનો
દાખલ કરવાની ફરજ પડશે, જેની
સંબંધિતોને નોંધ લેવા પણ કલેકટર દ્વારા તાકીદ કરવામાં આવી છે.
No comments:
Post a Comment