Breaking

Post Top Ad

Your Ad Spot

Monday, December 14, 2020

મહીસાગર જિલ્લાના મકાઇનું વાવેતર કરતા ખેડૂતોને ખાસ સુચન..

 



લુણાવાડા
,

મહીસાગર જિલ્લાના મકાઇનું વાવેતર કરતા ખેડૂતોને જણાવવાનું કે પુંછડે ચાર ટપકાંવાળી ઇયળ (ફોલ આર્મીવર્મ) મુખ્યત્વે મકાઇ પાકમાં જોવા મળતી જીવાત છે. આ ઇયળ સામાન્ય રીતે ઘાટા બદામી રંગની હોય છે. માથુ કાળા રંગનું હોય છે, તેના માથા ઉપર સફેદ રંગનો અંગ્રેજીમાં “Y” આકારનો માર્ક જોવા મળે છે તથા ઇયળની પુંછડી ઉપર છેલ્લાથી આગળના ભાગમાં ચોરસ આકારમાં ઘાટા કાળા રંગના ઉપસેલા ચાર ટપકાં જોવા મળે છે. વધુમાં ઇયળના ઇંડા મકાઇના પાંદડાના નીચે અથવા પાંદડા ઉપર અથવા થડ ઉપર જથ્થામાં જોવા મળે છે. જેના ઉપર સફેદ રૂવાંટી જેવું આવરણ જોવા મળે છે. આ ઇયળ ખુબજ ખાઉંધરી તથા છોડના ડુંડા સહિતના તમામ ભાગોને નુકશાન કરી મકાઇના પાકને નુકશાન કરે છે.

આ પુંછડે ચાર ટપકાંવાળી ઇયળ (ફોલ આર્મીવર્મ) ના સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે    બિયારણને પટ આપવા માટે Cyantranilipole 19.8%+ Thiomethoxam 19.8% FS 6    મી.લી./કિ.ગ્રા  બિયારણ પ્રમાણે માવજત આપી વાવેતર કરવુ. ખેતરમાં પાકની શરૂઆતના દિવસોમાં સતત દેખરેખ રાખી  જીવાતના ઇંડા તથા નાની ઇયળોના સમુહોનો નાશ કરી ઉપદ્રવ ટાળી શકાય છે. હેકટરે એક પ્રકાશ પિંજર ગોઠવવા, ઇંડાના સમુહ અને જુદી-જુદી અવસ્થાની ઇયળોને હાથ થી વીણી એકત્ર કરી કીટકનાશકના દ્વાવણમાં ડુબાડી નાશ કરવો. ઉપદ્રવ જણાય તો બેસીલસ થુરીન્ઝીએન્સીસ પાવડર ૨૦ ગ્રામ અથવા બેવેરીયા બેસીયાના નામની ફુગનો પાવડર ૫૦ ગ્રામ અથવા લીંમડાની લીંબોળીની મીંજનો ભુકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મીલી+કપડા ધોવાનો પાવડર ૧૦ ગ્રામ અથવા લીમડા આધારીત તૈયાર કીટક નાશક એઝાડીરેક્ટીન-૧૫૦૦ પીપીએમ ૫૦ મીલી પૈકીની કોઇ પણ એક જૈવિક/વનસ્પતિ જન્ય દવા ૧૦ લીટર પાણીમાં ઉમેરી, આખો છોડ તેમજ ભુંગળી પલળે તે રીતે છંટકાવ કરવો.જો ઉપદ્રવ ૧૦% થી વધુ જોવા મળે તો રાસાયણિક દવાઓ જેવી કે Spinetoram 11.7% SC (100ml/acre @ 0.5ml/litre) અથવા Chlorantraniliprole 18.5% SC (80ml/acre @ 0.4 ml/litre) અથવા Thiomethoxam 12.6% + Lambda Cyhalothrin 9.5% ZC (50ml/acre @0.25ml/litre) અથવા Emamectin benzoate 5%SG (80g/acre @ 0.4g/litre પૈકીની કોઇ પણ એક જંતુનાશક દવા છોડ તેમજ ભુંગળી પલળે તે રીતે છંટકાવ કરવો અને જરૂર જણાય તો અઠવાડીયા પછી જંતુનાશક દવા બદલી બીજો છંટકાવ કરવો પરંતુ જંતુનાશક દવાના છંટકાવ અને કાપણી વચ્ચે ઓછામાં ઓછો ૧૦ થી ૧૫ દિવસનો સમયગાળો જાળવવો.

આ અંગે વધુ  જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ કે.વી.કે /તાલુકા અમલીકરણ  અધિકારી/ જિલ્લા ખેતીવાડી અધિકારી / નાયબ ખેતી નિયામક (વિ.)/ નાયબ ખેતી નિયામક (તાલીમ)  અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત મહિસાગર-લુણાવાડા ની અખબારી યાદીમાં જણાવ્યું છે.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot