Breaking

Post Top Ad

Your Ad Spot

Saturday, December 5, 2020

સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે કોરોના કાળમાં દર્દીઓને ૨૦૧૦ વખત ડાયાલીસીસ કરાયુ


 

ગીર સોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ વિભાગમાં કોરોના કાળ દરમ્યાન માર્ચ-૨૦૨૦ થી લઈ અત્યાર સુધીમાં ડાયાલીસીસના દર્દીઓને ૨૦૧૦ વખત ડાયાલીસીસ કરવામાં આવ્યું હતું. જેમાં પુરુષ-૧૪૬૮ અને સ્ત્રી-૫૪૨નો સમાવેશ થાય છે.

     ડાયાલીસીસ વિભાગમાં ૫ બેડની વ્યવસ્થા હોવાની સાથે રવિવાર સિવાય સવારના ૮ થી ૧૨ અને બપોરે ૧૨ થી ૪ કલાક દરમ્યાન બે પાળીમાં દર્દીઓને ડાયાલીસીસ કરવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના દરરોજ ૮ થી ૯ દર્દીઓને ડાયાલીસીસ કરાવવા માટે આવે છે. દર્દીની સ્થિતિ પ્રમાણે અઠવાડિયામાં એક વખત, બે વખત અથવા ૩ વખત ડાયાલીસીસની જરૂરીયાત હોય છે. તે પ્રમાણે ડાયાલીસીસની સવલત પુરી પાડવામાં આવે છે. જે ડાયાલીસીસના દર્દીઓ માટે આર્શીવાદરૂપ છે. નર્સિંગ સ્ટાફના મનીષા પાનેરા, ટેકનિકલ ચેતન ધરસડિયા, નિશાંત સોંદરવા સહિત ૫ લોકોની ટીમ દ્રારા ડાયાલીસીસની કામગીરી કરવામાં આવી રહી છે.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot