ગીર સોમનાથ જિલ્લાના
મુખ્યમથક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ વિભાગમાં કોરોના કાળ દરમ્યાન માર્ચ-૨૦૨૦
થી લઈ અત્યાર સુધીમાં ડાયાલીસીસના દર્દીઓને ૨૦૧૦ વખત ડાયાલીસીસ કરવામાં આવ્યું
હતું. જેમાં પુરુષ-૧૪૬૮ અને સ્ત્રી-૫૪૨નો સમાવેશ થાય છે.
ડાયાલીસીસ વિભાગમાં ૫ બેડની વ્યવસ્થા હોવાની
સાથે રવિવાર સિવાય સવારના ૮ થી ૧૨ અને બપોરે ૧૨ થી ૪ કલાક દરમ્યાન બે પાળીમાં
દર્દીઓને ડાયાલીસીસ કરવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના દરરોજ
૮ થી ૯ દર્દીઓને ડાયાલીસીસ કરાવવા માટે આવે છે. દર્દીની સ્થિતિ પ્રમાણે
અઠવાડિયામાં એક વખત, બે વખત અથવા ૩ વખત ડાયાલીસીસની જરૂરીયાત હોય છે. તે પ્રમાણે ડાયાલીસીસની
સવલત પુરી પાડવામાં આવે છે. જે ડાયાલીસીસના દર્દીઓ માટે આર્શીવાદરૂપ છે. નર્સિંગ
સ્ટાફના મનીષા પાનેરા, ટેકનિકલ ચેતન ધરસડિયા, નિશાંત સોંદરવા સહિત ૫ લોકોની ટીમ દ્રારા ડાયાલીસીસની કામગીરી કરવામાં
આવી રહી છે.
No comments:
Post a Comment