૫ ડીસેમ્બરને વિશ્વ જમીન દિવસ તરીકે ઊજવવામાં આવે છે. મોરબીના કૃષિ
વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લામાંથી ઉપસ્થિત ખેડુતો સાથે દિવસની ઉજવણી કરવામાં આવી
હતી.
ઉપસ્થિત ખેડુતોને જમીન
ચકાસણી બાદ જમીનમાં ખુટતા પોષક તત્વો જમીનમાં નાખવા સેન્દ્રીય ખાતર નો ઉપયોગ કરવા
તેમજ જમીનનું પૃથ્થકકરણ કઈ રીતે કરવું અને ખેતરમાથી જમીનનો નમુનો કેવી રીતે લેવો
તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ
કાર્યક્રમમાં વૈજ્ઞાનિક ડો.
હેમાંગીબહેન ડી. મહેતા, સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ ડો.એલ.એલ.જીવાણી, વૈજ્ઞાનિક
શ્રી ડી.એ.સરડવા, જીલ્લા ખેતીવાડી અધિકારી ચૌહાણ, મદદનિશ ખેતી અધિકારી એન. જી.
રામોલીયા, આત્મા માંથી શ્રી ડી. સી. ઝાલરીયા ઉપસ્થીત રહ્યા હતા તેમ સીનીયર સાયન્ટીસ્ટ અને હેડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જુનાગઢ કૃષિ
યુનિવર્સિટી મોરબીની યાદીમાં જણાવાયું છે.
No comments:
Post a Comment