ચૂંટણીનું પર્વ ઉજવવા માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ
કરીને આ મહાપર્વની ઉજવણી કરી મત આપવાનું પવિત્ર કાર્ય કરે છે. મત આપવો એ આપણી
નૈતિક ફરજ છે ત્યારે મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી વેળાએ મતદાનના દિવસે જ અહીંના
ભડીયાદ ગામમાં રહેતા રમેશભાઈ મકવાણાની પુત્રી જાગૃતિના લગ્ન નિર્ધાર્યા હતા.
જોગાનુજોગ મતદાનના દિવસે જ તેમના લગ્ન હોવા છતાં તેઓએ પોતાની ફરજ અદા કરી હતી.
મોરબી માળીયા વિધાનસભાનાં મતવિસ્તારમાં આવેલ ભડીયાદ ગામમાં
આવેલ જવાહર સોસાયટીમાં રહેતા રમેશભાઈ મકવાણાની પુત્રી જાગૃતિ સજોડે લગ્નના દિવસે જ
લગ્નના માંડવે થી સીધા જ મતદાન મથકે આવીને મતદાન કર્યું હતું.
આ નવદંપતિ લગ્નના પહેરવેશ અને સજ્જામાં મતદાન મથકે પહોંચતા
અન્ય મતદારો અને મતદાર મથકના કર્મચારીઓ પણ પ્રભાવીત થયા હતા. નામ એવા જ ગુણ
ફેલાવતી નવવિવાહિતા જાગૃતિએ લગ્નમંડપથી સીધા મતદાન મથકએ મતદાન કરી મતદારોમાં
ફેલાવેલી જાગૃતિને ગ્રામજનોએ પણ આવકારી હતી.
No comments:
Post a Comment