Breaking

Post Top Ad

Your Ad Spot

Friday, November 27, 2020

ઓનલાઈન મતદારયાદી જાગૃતિ કાર્યક્રમ યોજાયો


 

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને કલેકટર ઓફિસ- ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે ઓન લાઈન મતદારયાદી નામ નોંધણી અને Voter Portal NVSP જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

   આ તકે કલેકટરશ્રી અજયપ્રકાશે તા.01-01-2021 ના રોજ જે વિદ્યાર્થીઓના કે વ્યક્તિના 18 વર્ષ પૂર્ણ થયા હોય તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, મતદાર યાદીમાં નામ નોંધાવા માટે માર્ગદર્શન આપ્યું હતું. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિનોદચંદ્ર પ્રજાપતિએ Online Voter Portal વિશે વિગતે માહિતી આપી હતી. ટેકનોસેવી યુવાનો આ Voter Portal દ્વારા પોતાના Voter ID બનાવી શકે છે. કુલપતિશ્રી પ્રો. ગોપબંધુ મિશ્રએ મતદાન અને લોકશાહીના મહત્વ અને આપણી ફરજો અંગે સમજણ આપી હતી.

  સોશ્યલ મીડીયાના માધ્યમથી યોજાયેલ આ કાર્યક્રમમાં ૨૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળના facebook પેઈજ પર live યોજવામાં  આવ્યો હતો. વધુ માહિતી માટે facebook પેઇજ પરથી માહિતી મેળવી શકાશે. આ કાર્યક્રમનું સંચાલન મામલતદારશ્રી ચાંદેગરાએ અને આભારવિધી શૈલેષ કલસરિયાએ કરી હતી. યુનિવર્સિટી વતી  સંયોજક તરીકે હરેશભાઈ ખેર અને ડૉ. જયેશકુમાર ડી. મુંગરાએ કામગીરી કરી હતી.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot