Breaking

Post Top Ad

Your Ad Spot

Friday, November 27, 2020

મહત્તમ એકસો વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન / સત્કાર સમારંભ નું આયોજન કરી શકાશે

 




સુરેન્દ્રનગરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટરશ્રીએ બહાર પાડેલ જાહેરનામું

હાલ વિશ્વભરમાં નોવેલ કોરોના વાઇરસ કોવિડ-૧૯ ને વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં કોરોના ફેવાઇરસ ફેલાતો અટકાવવા ભારત અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. ભારત સરકારશ્રીના હુકમ અન્વયે કન્ટેનમેન્ટ/માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનની મુદતમાં તારીખ ૩૦-૧૧-૨૦૨૦ સુધી વધારો જાહેર કરવામાં આવેલ છે. કેન્દ્ર અને ગુજરાત સરકારની માર્ગદર્શક સુચનાઓ અનુસાર મર્યાદિત વ્યક્તિઓની હાજરીમાં લગ્ન/સત્કાર સમારંભનું આયોજન કરવા જણાવાયું છે. જેને ધ્યાને લઈ સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામું બહાર પાડેલ છે.   

આ જાહેરનામાંમાં જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ માટે ગૃહ વિભાગના હુકમની સુચનાઓનું પાલન કરવાની શરતે ખુલ્લા સ્થળોએ/બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના ૫૦ ટકાથી વધુ નહીં, પરંતુ મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદામાં સમારોહ/પ્રસંગનું આયોજન કરવાનું રહેશે.. મરણના કિસ્સામાં અંતિમ ક્રિયા/ધાર્મિક વિધી માટે મહત્તમ ૫૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. તે સિવાય ભારત સરકારશ્રીની અને ગુજરાત સરકારશ્રીની વખતો વખતની માર્ગદર્શક સુચનાઓનું પાલનકરવાનું રહેશે.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot