સુરેન્દ્રનગરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટરશ્રીએ બહાર પાડેલ જાહેરનામું
હાલ વિશ્વભરમાં નોવેલ
કોરોના વાઇરસ કોવિડ-૧૯ ને વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર
કરેલ છે. ભારતમાં કોરોના ફેવાઇરસ ફેલાતો અટકાવવા ભારત અને ગુજરાત સરકાર દ્વારા
વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. ભારત સરકારશ્રીના હુકમ અન્વયે
કન્ટેનમેન્ટ/માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનની મુદતમાં તારીખ ૩૦-૧૧-૨૦૨૦ સુધી
વધારો જાહેર કરવામાં આવેલ છે. કેન્દ્ર અને ગુજરાત સરકારની માર્ગદર્શક સુચનાઓ
અનુસાર મર્યાદિત વ્યક્તિઓની હાજરીમાં લગ્ન/સત્કાર સમારંભનું આયોજન કરવા જણાવાયું
છે. જેને ધ્યાને લઈ સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામું બહાર
પાડેલ છે.
આ
જાહેરનામાંમાં જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર
જિલ્લામાં લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ માટે ગૃહ વિભાગના હુકમની સુચનાઓનું
પાલન કરવાની શરતે ખુલ્લા સ્થળોએ/બંધ સ્થળોએ,
સ્થળની ક્ષમતાના ૫૦ ટકાથી વધુ નહીં, પરંતુ
મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદામાં સમારોહ/પ્રસંગનું આયોજન કરવાનું રહેશે.. મરણના
કિસ્સામાં અંતિમ ક્રિયા/ધાર્મિક વિધી માટે મહત્તમ ૫૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. તે
સિવાય ભારત સરકારશ્રીની અને ગુજરાત સરકારશ્રીની વખતો વખતની માર્ગદર્શક સુચનાઓનું
પાલનકરવાનું રહેશે.
No comments:
Post a Comment