ભુજના કાલી તલાવડી ગામે રૂ.૭૧૩.૯૪ લાખના ખર્ચે નવનિર્મિત કાલી તલાવડી અને ચંદિયા ૬૬ કે.વી.સબસ્ટેશનું લોકાર્પણ કરતાં રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લિ. (જેટકો) ૬૬ કે.વી. સબસ્ટેશન પ્રવહન વર્તુળ કચેરી, અંજાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સબસ્ટેશનોથી પુરતા વીજ દબાણથી સાતત્યપૂર્વક વીજ પુરવઠો આપી વધારાની વીજ માંગ સંતોષી શકાશે. સબસ્ટેશનોમાં આવેલ ગામોના રહેઠાણ અને ઔધોગિક ગ્રાહકોને ગુણવત્તાસભર વીજળી પુરી પાડવામાં આવશે. આજે અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘના પ્રમુખશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ ૧૩૬ સબસ્ટેશનો કાર્યરત છે. જયારે આજથી ૬૬ કે.વી.ના કુલ ૧૨૧ સબસ્ટેશનો કાર્યરત થશે ભુજ અને અંજાર તાલુકાના ૮ પૈકી કાલીતલાવડી, ચપરેડી, અટલનગર, લાખોંદ અને ચંદિયા, મખીયાણા, વાડા, ભાલોટ ગામના ૨૩૫૦ જેટલા ગ્રાહકો લાભાન્વિત થશે.
આજરોજ રૂ.૩૮૮.૨૮ લાખના ખર્ચે નિર્મિત કાલી તલાવડી સબસ્ટેશનથી ભુજ તાલુકાના ચાર અને ચંદિયા (લોહારિયા) રૂ.૩૨૫.૬૬ લાખના ખર્ચે નિર્મિત ૬૬ કે.વી.સબસ્ટેશનથી અંજાર તાલુકાના ચંદિયા, મખીયાણા, વાડા, ભાલોટ ગામોને વીજ લાખ મળશે. ગેટકો કંપનીના વીજ પ્રકલ્પો નિયત સમય મર્યાદા કરતા વહેલા પૂર્ણ કરવા બદલ ૨૦ જેટલા વિવિધ રાષ્ટ્રીય એવોર્ડ ગેટકોને એનાયત થયેલા છે. આ વર્ષે ૬૬ કે.વી.સબસ્ટેશન ચંદિયા (લોહારિયા) અંજાર તાલુકામાં અને ભુજ તાલુકામાં ૬૬ કે.વી. કાલા તલાવડી અને નાડાપા સબસ્ટેશન કાર્યરત કરાયા છે. જયારે આવનારા બે વર્ષમાં ૪૦ જેટલા સબસ્ટેશનો જિલ્લામાં કાર્યાન્વિત કરવાનું આયોજન છે.
No comments:
Post a Comment