30થી વધુ ગામને જોડતા માર્ગ પર અંઘારપટ
અમદાવાદ- મહેસાણા હાઇવે પર આવેલ ભાસરિયા ચોકડી પર સ્ટ્રીટ લાઈટના અભાવે અંધારપટ છવાતાં સ્થાનિકો સહિત વાહન ચાલકોને તકલીફ પડી રહી છે. આ માર્ગે તત્કાલ સ્ટ્રીટ લાઇટ શરૂ કરવા માંગ ઉઠી છે.મહેસાણા તાલુકાના ભાસરિયા ચોકડીની પૂર્વ તરફ આંબલિયાસણ, લાંઘણજ, ગોઝારિયા સહિતના વેપારી મથક તેમજ ગ્રામ્ય વિસ્તારો તેમજ પશ્વિમ તરફ મરતોલી અને બહુચરાજીને જોડતા માર્ગ પર ભાસરિયા, દિવાનપુરા, મુદરડા, જોટાણા સહિતના 30 જેટલા ગામોના લોકો આ ચોકડી પરથી વેપાર ધંધા અર્થે અવર જવર કરે છે.
વાહનોથી ધમધમતા હાઇવે પર ચોકડીની બંને તરફના માર્ગ પર ઘણા વર્ષોથી સ્ટ્રીટ લાઈટના અભાવે રાત્રે અંધારપટ છવાઈ જાય છે. પરિણામે મોડી રાતે તેમજ વહેલી સવારે વાહનોની રાહ જોઈને ઊભા રહેતા મુસાફરો, રાહદારીઓ તેમજ વાહન ચાલકોમાં અસામાજિક તત્વોનો ભય રહેતો હોઇ તાકીદે લાઇટની સુવિધા ઉભી કરવાની જરૂર છે તેમ બાલિયાસણ ગામના પૂર્વ સરપંચ અશોકજી ઠાકોરે જણાવ્યું હતું.
No comments:
Post a Comment