Breaking

Post Top Ad

Your Ad Spot

Wednesday, November 25, 2020

કુકરવાડા બજાર આજથી સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લુ રહેશે




 2 વાગ્યા બાદ માત્ર દવાખાના અને મેડિકલ સ્ટોર ચાલુ રહેશે

વિજાપુર તાલુકાના કુકરવાડામાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઇ ગુરુવારથી 15 દિવસ સુધી સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી જ બજાર ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. બપોરે 2 વાગ્યા બાદ માત્ર દવાખાના અને મેડીકલ સ્ટોર જ ચાલુ રખાશે.

એસ.વી.શાહ હાઇસ્કૂલમાં બુધવારે વેપારી એસોસીએશન સાથે ગ્રામ પંચાયતે બેઠક યોજી હતી. જેમાં 10 ડિસેમ્બર સુધી બજારો સવારે 7થી 2 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. વેપારીઓ અને ગ્રાહકોને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવા જણાવાયું છે. નિયમ ભંગ કરનારા વેપારી અને ગ્રાહકને રૂ.200નો દંડ વસુલવામાં આવશે.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot