Breaking

Post Top Ad

Your Ad Spot

Monday, November 30, 2020

ભગવાન નરસિંહજીનો 284મો વરઘોડો


 દેવદિવાળી નિમિત્તે ભગવાન નરસિંહજીનો 284માં વરઘોડા નિમિત્તે ભગવાનને લાકડાની બંધ બારણાવાળી પાલખીમાં બિરાજમાન કરી ફુલોથી શણગારેલી મીની બસમાં બેસાડવામાં આવ્યાં હતાં. જ્યારે ભગવાનની જાન વિઠ્ઠલ મંદિરે કે પછી કોઈ પણ સ્થળે પધરામણી કર્યા વગર માત્ર 23 મિનિટમાં તુલસીવાડી પહોચી હતી.જયાં શાસ્ત્રોકત વિધિ મુજબ ભગવાન નરસિંહજી અને તુલસીજીના વિવાહ સંપન્ન થયા હતા.સાંજે 5.20 વાગે ભગવાન લગ્ન કરી નિજ મંદીરે પર પહોંચ્યા હતા.

ગાઈડલાઈન પ્રમાણે શરૂ થયેલા નરહરીલાલના પરિણય પર્વમાં આગલી રાતથીજ મંદિર ફૂલોથી શણગારાયું હતું, નરસિંહજીની પોળમાં ઉત્સાહ ભારોભાર હતો પરંતુ કોરોનાની ગાઇડલાઇનને કારણે લોકોએ જાનમાં નહીં જોડવાવાનું મનોમન નક્કી કરી લીધું હતું. સવારે 5 વાગ્યાથી મંદિરમાં મંગળા આરતી સાથે પૂજા-અર્ચન નો ક્રમ શરૂ થયો હતો. માત્ર પોળમાજ રહેતા ભક્તોએ દર્શન કર્યાં હતાં.

9 વાગ્યાના અરસામાં સાંસદ રંજનબેન ભટ્ટ, ભાજપના નેતા શબ્દશરણ બ્રહ્મભટ્ટ, કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને ચંદ્રકાન્ત ભથ્થુ દર્શન કરવા આવી પહોંચ્યા હતા. આ વર્ષે ચાંદીની પાલખીની જગ્યા એ લાકડાની બંધ બારણાની પાલખીમાં બેસાડી બપોરે 1:50 વાગે નરસિંહજીને મંદિર બહાર લાવવામાં આવ્યાં હતાં. બંધ પાલખી અને તેની પર લાલ કાપડ ઓઢાળેલું હોવાથી ભક્તો દર્શન કરી શક્યાં ન હતા.

જો ખુલ્લી ચાંદીની પાલખીમાં ભગવાનને બિરાજમાન કર્યાં હોત તો પાલખીને આઈશરમાં લઈ જવી પડી હોત,અને ખુલ્લી આઈશરમાં લોકો ભગવાનને જોઈ પાછળ તુલસીવાડી ખાતે આવી પહોચતા કોરોના સંક્રમણ ફેલાવવાની સંભાવના રહી હતી. જેથી લાકડાની બંધ બારણા વાળી પાલખીમાં ભગવાનને બિરાજમાન કર્યાં હતાં. જ્યારે લાકડાની પાલખીમાં ભગવાનને બિરાજમાન કરી વિઠ્ઠલજી મંદિરમાં પધરામણી કરવાનું અઘરૂં હતું. પાલખીને ગાડીમાં થી કાઢવી અને પાછી મુકવી સમય માંગી લે તેવું હતું,જેથી પરંપરા જાળવવા વિઠ્ઠલજી મંદિરના પરિવાર દ્વારા સવારે નરસિંહજી મંદિરમાં જ ભોગ ધરાવી પરંપરા જાળવી હતી.

ભક્તોએ ભગવાનનો જય જય કાર કર્યો હતો. ભગવાનની પાલખીને ફુલોથી શણગારેલી મિનિબસમાં ગોઠવવામાં આવી હતી. બપોરે 1:52 કલાકે ભગવાનનો વરઘોડો તુલસીવાડી જવા નિકળ્યો હતો. જેમાં મંદિર પરિવારના 50 જેટલા લોકો જ જોડાયા હતા. ત્યાં હાજર ભક્તોએ ભગવાનને લઈ જતી ગાડી પર ફુલવર્ષા કરી હતી. બપોરે 1:52 વાગે જાન પ્રસ્થાન થયું હતું. નરસિંહજીની જાન ફતેપુરા ચાર રસ્તા પાસે થી પસાર થતી હતી, આ દરમિયાન એક એમ્બ્યુલન્સ ભગવાનની ગાડી પાછળ આવી . ભગવાનની ગાડી ઉભી રહી અને એમ્બ્યુલન્સ ને રસ્તો કરી આપ્યો. 23 મિનિટની યાત્રા બાદ ભગવાન 2:15 મિનિટે તુલસીવાડી લગ્ન સ્થળે પહોંયા હતા. સામાન્ય દિવસોમાં ભગવાનનો વરઘોડો 6 કલાકે તુલસીવાડી પહોચતો હોય છે. ભગવાન લગ્ન કરવા શણગારેલી ગાડીમાં નિકળ્યાં તે જોઈ રસ્તાની બંને બાજુ ભક્તો ઉભા રહીને તેમનું ફુલથી સ્વાગત કર્યું હતું.

તુલસીવાડી મંદિર ખાતે બપોરે ભગવાનની લગ્નવિધી શરૂ થઈ હતી. બપોરે 2:21 વાગે ભગવાનને ભોગ ધરાવી આરતી કર્યા બાદ બપોરે 3:11 વાગે નરસિંહજી પરણવા બેઠા હતાં. અઢી કલાકની વિધી બાદ ભગવાનના તુલસીજી સાથે લગ્ન પુરા થયા હતા. લગ્ન પુરા થતા જ બપોરે 4:50 વાગે ભગવાનને પરત નિજ મંદિરે લઈ જવાયા હતા. નરસિંહજી ભગવાન પરણીને પરત નિજ મંદિરે જવા નિકળતા પોલીસે દરેક ચાર રસ્તે ટ્રાફિકને રોક્યો હતો.

જેના પગલે ફતેપુરા ચાર રસ્તા પાસે 1 કિમી લાંબો ટ્રાફિક જામ થયો હતો. સાંજે 5 વાગે ભગવાનની ગાડી નરસિંહજીની પોળની બહાર પહોચી હતી. પોળ બહાર વેપારીઓ દ્વારા પરણીને આવેલા ભગવાનનું ફુલોથી સ્વાગત કરાયું હતું. પોળમાં ઠેરઠેર સ્વાગત અને ફટાકડા ફોડાયા હતા. ભગવાન સાંજે 5:20 મિનિટે નિજમંદિરે પરત પહોચ્યાં હતાં.


No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot