લાઠી તાલુકાના શેખપીપળીયા ગામથી બાબરા તાલુકાના ગલકોટડી ગામ સુધીનો છ કિલોમીટરનો માર્ગ વર્ષોથી બિસમાર હોવાના કારણે લોકોને ભારે હાડમારી ભોગવવાનો વારો આવતો હતો.ક્યારે આ પ્રશ્ને ધારાસભ્યને રજૂઆત કરાઇ હતી. રજૂઆતને પગલે આજે આ માર્ગના કામ માટે ખાતમુહૂર્ત કરાયું હતું. શેખ પીપળીયાથી ગળકોટડી સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં હોય અનેકવાર રજુઆત કરવા છતાં રોડનું કામ શરૂ કરવામાં આવતું ન હતું. અંતે આ વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા સતત રાજ્ય સરકારમાં રજુઆત કરતા અંતે આ માર્ગ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુર કરવામાં આવ્યું હતું. આજે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે માર્ગના કામ માટે ખાતમુહૂર્ત કરાયું હતું.
શેખપીપળીયાથી ગલકોટડી સુધી આ માર્ગ રૂપિયા 1.10 કરોડના ખર્ચે 6 કિમી સુધી નવો બનાવવામાં આવશે. ગામ લોકોની વર્ષો જુની માંગ સંતોષાતા આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. આ તકે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા, જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ જીતુભાઇ વાળા, સહકારી મંડળીના પ્રમુખ મગનભાઈ ભાદાણી,વેપારી અગ્રણી અશોકભાઇ ભાદાણી ગામના ઉપસરપંચ મુનાભાઈ સ્થાનિક અગ્રણીઓગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
No comments:
Post a Comment