શહેરમાં કોરોના કેસ 200 ઉપર ચાલી રહ્યાં છે તેથી પાલિકા આગોતરી તકેદારીરૂપ વિવિધ પગલાં લઈ રહી છે. ખાસ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવાની સાથે લોકોમાં જાગૃતિ કેળવવાના કાર્યક્રમો પણ કરી રહ્યું છે. પરંતુ તાજેતરમાં લગનસરા શરૂ થયા હોય લગ્નોમાં ટેસ્ટિંગ હાથ ધરાયા છે. જેમાં 3665 ટેસ્ટ કરવામાં આવતાં 36 લોકો પોઝિટિવ આવ્યાં છે.
ગંભીર બાબત એ છે કે, પોઝિટિવ આવનારાઓમાં લગ્નમાં આવેલા મહેમાનો સાથે મંડપવાળા, કેટરિંગ સર્વિસવાળા, ડેકોરેટર્સ, ફૂલવાળા પણ પોઝિટિવ મળ્યા છે. લગ્નમાં સર્વિસ આપનારાઓ સુપરસ્પ્રેડર્સ નહીં બને તે માટે ટેસ્ટિંગ જરૂરી બન્યું છે ત્યારે પાલિકાએ તમામના ટેસ્ટિંગ હાથ ધર્યાં છે.
મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, લગ્નોમાં મંડપવાળા, કેટરિંગ સર્વિસવાળા, ડેકોરેટર્સ, ફ્લાવર્સવાળા હોય છે તેમના આયોજકો કહેશે તો નિ:શુલ્ક ટેસ્ટ કરવામાં આવશે. આયોજકોએ માત્ર પાલિકાના ધનવંતરી રથનો જ સંપર્ક કરવો પડશે. તેથી લગ્નોમાં સર્વિસ પૂરી પાડનારા સુપરસ્પ્રેડર નહી બની શકે.
આ કેટરીંગવાળાથી લઈ મેરેજમાં સર્વિસ પુરી પાડનારાઓ એક મેરેજથી લઈ બીજા મેરેજમાં જતાં હોય છે તેથી સુપરસ્પ્રેડરો બનવાનું જોખમ રહ્યું છે. તેથી તેઓના ટેસ્ટિંગ જરૂરી બન્યા છે. લગ્નોમાં 3665 ટેસ્ટ કરવામાં આવ્યાં તેમાંથી 36 પોઝિટિવ આવ્યાં છે. તેમાં, મેરેજમાં આવેલા ગેસ્ટથી લઈ કેટરિંગ, ડેકોરેટર્સોનો પણ સમાવેશ થાય છે.
લગ્ન સમારોહમાં પાલિકાની ટીમ સમજાવશે
લગ્ન સિઝન જામી છે પરંતુ કોરોનાની ગાઈડલાઈનનું ઘણાં ખરા મેરેજોમાં ચૂસ્તપણે પાલન થઈ રહ્યું નથી. હાલ શિયાળો છે તેથી કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે આમ જ ચાલ્યું તો પોઝિટિવ કેસોમાં વધારો નોંધાતો રહેશે. આ અંગે પાલિકા પોલીસ સાથે સંકલન કરી મેરેજોમાં લોકો ગાઇડલાઈનનું પાલન કરે તે અંગે સમજાવવામાં આવશે.
No comments:
Post a Comment