રાજ્યના ૩૩ જિલ્લામાં વર્ષ ૨૦૨૧ની મતદાર યાદીઓના સ્પેશિયલ સમરી રિવિઝન માટે મતદાર યાદી નિરીક્ષક તરીકે ૧૩ આઈએએસની નિમણૂક થઈ છે. આ કામગીરી ૨૦૦૨થી ૨૦૦૭ની બેચના અધિકારીઓને સોંપાઈ છે.
અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની કામગીરી મેરિટાઇમ બોર્ડના ઉપાધ્યક્ષ અને સીઈઓ અવંતિકાસિંઘ અલખને, રાજકોટ અને મોરબી જિલ્લાની કામગીરી મહિલા અને બાળવિકાસ સેક્રેટરી-કમિશનર મનીષા ચંદ્રાને, સુરત અને તાપી જિલ્લાની કામગીરી રાહત કમિશનર હર્ષદકુમાર પટેલને તથા વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાની કામગીરી સર્વશિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર પી. ભારતીને સોંપાઈ છે.
જ્યારે આણંદ, ખેડા અને છોટા ઉદેપુર જિલ્લાઓની કામગીરી કોટેજ તથા ગ્રામોદ્યોગ સચિવ-કમિશનર સંદીપકુમારને, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાની કામગીરી ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ માન્જૂને, કચ્છ અને મહેસાણા જિલ્લાઓની કામગીરી નગરપાલિકાઓના તંત્રના કમિશનર તથા અર્બન ડેવલપમેન્ટ મિશનના અધિક સીઈઓ રાજકુમાર બેનીવાલને, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદની કામગીરી આયોજન સચિવ રાકેશ શંકરને, વલસાડ, નવસારી તથા ડાંગની જવાબદારી સેટલમેન્ટ કમિશનર કે. એમ. ભીમજીયાણીને, પોરબંદર-ગીર સોમનાથ અને જૂનાગઢની કામગીરી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ ડી.જી. પટેલને, જામનગર, દ્વારકા અને અમરેલીની કામગીરી સહકાર-પશુપાલન સચિવ નલિન ઉપાધ્યાયને, અરવલ્લી-સાબરકાંઠાની કામગીરી ટીસીજીએલના એમડી જેનું દેવનને તેમજ બનાસકાંઠા-પાટણની જવાબદારી ડી-સેગના સીઈઓ આર.એસ. નિનામાને અપાઈ છે.
રાજ્યની વિધાનસભાની પેટાચૂંટણીઓની પ્રક્રિયા પૂર્ણ થાય કે તરત જ સમગ્ર વિધાનસભાની ૨૦૨૧ની મતદારયાદી માટેની તૈયારીઓ શરૂ કરી દેવાશે. ચૂંટણીપંચે અત્યારથી તેનું આયોજન કર્યું છે.
No comments:
Post a Comment