કાલોલ તાલુકાના દેલોલ ગામના દરજી ફળીયામાં અને બહાર ફળીયામાં અમુક સ્થાનિક લોકો દ્ધારા બેફામ પાણીનો બગાડ કરી જાહેર રસ્તાઓ ઉપર ગંદકી કરીને ઠેર ઠેર પાણી ભરાતાં ભારે કીચડ થાય છે અને તેને કારણે આવા કોરોનાના સમયમાં મચ્છરો નો ઉપદ્રવ પણ ગંદકી ને કારણે વધી ગયો હતો અને તેને કારણે મેલેરિયા,ટાઈફોડ જેવા જીવલેણ રોગો થવાનો પણ ભય હોવાથી અને અવર -જવરમાં સ્થાનિક નાગરિકોને તકલીફ પડતી હોવાથી જાગૃત લોકો દ્વારા ગઈ કાલે દેલોલ ગ્રામપંચાયતના સરપંચ અને તલાટી તથા દેલોલ આરોગ્ય કેન્દ્રમાં લેખિતમાં રજૂઆત કરી હતી કે જાહેરમાં ગંદકી કરતા લોકોને દંડ વસુલો અને ના બંધ કરે તો તેમના નળ કનેક્શન કાપી નાખો તેથી તેને ધ્યાનમાં લઈને આજરોજ દેલોલ સરપંચ દ્વારા જાહેરમાં પાણીનો બગાડ કરીને ગંદકી ફેલાવતા લોકોને તાત્કાલિક નોટિસ આપી દિન સાતમાં પાણી નો બગાડ અટકે નહિ તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
પંચમહાલ
No comments:
Post a Comment