વલસાડ, : વલસાડ જિલ્લાના પારડી-પારનેરા ગામે વાંકી ફળિયા ખાતે હયાત પુલની જગ્યાએ રૂા.૨પ૦ લાખના ખર્ચે નવા પુલ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી
રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે,
ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાયુકત રસ્તા અને પુલોના નિર્માણ થકી પ્રજાજનોની
સુખાકારીમાં વધારો થયો છે. દરેક ગામોમાં આવનજાવન માટે પાકા રસ્તાઓની સગવડ પ્રાપ્ત
થઇ છે. ગામમાં થતા વિકાસકાર્યોની ગુણવત્તા જળવાઇ રહે તે માટે ગ્રામ અગ્રણી અને
ગ્રામજનો પણ દેખરેખ રાખે તે જરૂરી છે. ગુજરાતના કુલ બજેટમાંથી સિંચાઇ ક્ષેત્રે ૨૮
ટકા અને માર્ગ અને મકાન વિભાગને ૨.પ ટકા બજેટની ફાળવણી કરવામાં આવે છે. કામદારો આ
રસ્તા અને પુલનો ઉપયોગ કરી રહયા છે,
ત્યારે આ જર્જરિત બનેલા હયાત પુલાની જગ્યાએ નવા પુલ બનાવવાની મંજૂરી સરકારે
આપી છે. ટ્રાફિકના પ્રશ્નો હલ કરવા માટે દરેક
રેલવે ક્રોસિંગ ઉપર ઓવરબ્રીજ બનાવવામાં આવનાર છે. પ્રજાજનોનો વિશ્વાસમાં
લેવા તેમના પ્રશ્નો હલ થાય તે જરૂરી છે,
જે કામ આ સરકાર સુપેરે પાર પાડી રહી છે. આગામી દિવસોમાં અનેક વિકાસકાર્યો શરૂ
કરવામાં આવનાર છે. નોન પ્લાન અને પ્લાન હેઠળ રસ્તાની કામગીરી માટે અંદાજે સો
કરોડ રૂપિયાની ગ્રાન્ટ ધારાસભ્યોને ફાળવવામાં આવે છે. એકજૂથ થઇને કામગીરી કરીશું
તો ગામના વિકાસ ઝડપી બનશે. ઘરે-ઘરે,
ગામેગામ પૂરતું પીવાનું પાણી મળે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે પાણી પુરવઠાના
કામો રાજ્યભરમાં શરૂ થયા છે. કુપોષણ નિવારણ માટે આંગણવાડી કાર્યકરોની ભૂમિકાની
સરાહના કરી હતી.
આ અવસરે
ધારાસભ્ય ભરતભાઇ પટેલે જણાવ્યું હતું કે,
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ વલસાડ તાલુકામાં અનેકવિધ વિકાસકાર્યો હાથ
ધરાયા છે. જે પૈકી વાંકી નદી ઉપર રૂા.૨.પ૦ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર પુલ સહિત
નનકવાડા વિસ્તારમાં વિવિધ ૬૨૬ લાખના ૧૦ જેટલા રસ્તા અને પુલની કામગીરીનું
ખાતમુહૂર્ત કરી શુભારંભ કરાવાયો છે.
સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે માટે સબંધિત એજન્સી તકેદારી રાખે તેમ
તેમણે વધુમાં જણાવ્યું હતું. આ પુલના
નિર્માણ થકી આજુબાજુના અનેક ગામોના અતુલ-વાપી વિસ્તારમાં જતા નોકરીયાતો સહિત
પ્રજાજનોને ઉપયોગી બનશે. લોકોપયોગી કાર્યો કરવામાં રાજ્ય સરકારે સતત પ્રયત્નશીલ
રહી છે.
No comments:
Post a Comment