Breaking

Post Top Ad

Your Ad Spot

Thursday, December 3, 2020

આજે ૩જી ડિસેમ્બર .... વર્લ્ડ ડિસેબિલીટી ડે...


 

સમગ્ર વિશ્વમાં સને ૧૯૯૨થી ૩જી ડિસેમ્બરના રોજ વિશ્વ અક્ષમતા દિવસ(વર્લ્ડ ડિસેબિલીટી ડે) ઉજવવામાં આવે છે. વિશ્વની ૧૫ થી ૧૭ ટકા વસ્તી ડિસેબીલીટી અનુભવી રહી છે. શારિરીક અથવા માનસિક અક્ષમતા ધરાવતા લોકોને આ દિવસ સમર્પિત કરવામાં આવે છે.

કોરોના મહામારી વચ્ચે આવેલા વર્લ્ડ ડિસેબિલીટી ડે ૨૦૨૦ની થીમ “બિલ્ટ, બેક અને બેટર” રાખવામાં આવી છે. અક્ષમતા ધરાવતા લોકો તેમનામાં રહેલી અક્ષમતાને નબળાઇ નહીં પરંતુ તેમની  તાકાત બનાવે, તેને સુધારવાની દિશામાં પ્રયત્નો કરવા તે માટે આ થીમ રાખવામાં આવી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પણ શારિરિક કે માનસિક રીતે અપંગ લોકોને દિવ્યાંગ તરીકેની આગવી ઓળખ આપવામાં આવી છે.

        કોરોના મહામારીનો કપરો કાળ ચાલી રહ્યો છે ત્યારે તેના સામે ઘણાંય કોરોના વોરીયર્સ જંગ લડી રહ્યા છે. ખાસ કરીને તબીબો સતત કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા કરીને પોતાની પવિત્ર ફરજ અદા કરી રહ્યા છે.

        અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં પણ ઘણાય દિવ્યાંગ તબીબો કે જેઓ દેહથી ભલે દિવ્યાંગ છે પરંતુ મનથી મકક્મ રહીને કોરોનાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવા માટે કાર્યરત છે.

        અમદાવાદ સિવિલમાં ૫૦ દિવસથી પણ વધુ સમય કોરોના ડ્યુટી કરી રહ્યા ઇન્ટર્ન તબીબ કિશોર કારીયા તેમાંના એક છે . સરકારી દિશાનિર્દેશ પ્રમાણે દેહથી દિવ્યાંગ હોવાના કારણે કોરોનાની ફરજમાંથી મુક્તિ આપવાની જોગવાઇ છે. પરંતુ કિશોર કારીયા એવા તબીબ છે કે જેઓએ સહજ ભાવે સામે ચાલીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવા ડયુટી સંભાળી છે.

        કિશોર કારીયાને કાઇફોસ્કોલિયોસિસ થયુ હોવાના કારણે તેમના પગમાં દિવ્યાંગતા આવી છે . જે કારણોસર સતત વધુ ચાલે ત્યારે તેમને તકલીફ પડતી હોય છે પરંતુ કિશોર કારીયા તેના જુસ્સાના કારણે સતત બાહોશીપુર્વક કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા જોવા મળે છે.

કિશોર ભાઇએ કોરોનાવોર્ડમાં આઇ.સી.યુ. તેમજ નોન આઇ.સી.યુ.માં ૫૦ દિવસથી પણ વધુ સમય સુધી ડ્યુટી કરી છે. આ દરમિયાન સંપૂર્ણપણે સાવચેતી સાથે તેઓ ફરજનિષ્ઠ રહ્યા છે. જે કારણોસર જ કોરોનાનો રીપોર્ટ કરાવતા તે નેગેટીવ આવ્યો હતો.

        આવા જ અન્ય એક તબીબ પ્રોફસર અને વડા મેડિસીન વિભાગ ડ઼ૉ.બીપીન અમીન કે જેઓ ૯૦ ટકા જેટલી દિવ્યાંગતા ધરાવે છે. તેઓને રાજ્યકક્ષાએ જિલ્લા તેમજ તાલુકા સ્તર  સુધી કોરોના સંલ્ગન ટેલીમેન્ટરીંગ સેવાઓની જવાબદારી સોંપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં નાગરિકોને  ઘેર બેઠા કોરોના વિશેની માહિતી પહોંચે તે માટે ડૉ. અમીનના વડપણ હેઠળ વિવિધ ટીમ કામ કરી રહી છે. જેમાં કોરોનાની સારવાર દરમિયાન શું કાળજી રાખવી, કોરોનાથી બચવાના ઉપાયો વિશેની જાણકારી આપવામાં આવે છે.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot