વિજાપુર તાલુકાના વડાસણ ગામના તળાવમાં એકાદ મહિના પહેલાં નર્મદાનું પાણી છોડાતાં ગામના ખેડૂતોએ 100 વીઘા જમીનમાં વાવણી કરી દીધી છે. બીજી બાજુ સરકારે 600 તળાવો નર્મદાનું પાણી ભરવાની જાહેરાત કરતાં ખેડૂતોને આશા બંધાઇ હતી. તેમ છતાં પાણી ન આવતાં 100 વીઘા જમીનની વાવણી પર સંકટ તોળાઇ રહ્યું છે.
વડાસણ ગામના તળાવમાં એકાદ મહિના પહેલાં લક્ષ્મીપુરા રેડ લાઇનથી નર્મદાનું પાણી છોડવામાં આવ્યું હતું. જેને લઇ આખી સિઝન પિયતનું પાણી મળશે તેવી આશ સાથે ખેડૂતોએ શિયાળુ વાવણી કરી દીધી હતી. અંદાજે 100 વિઘા જમીનમાં થયેલી વાવણી બાદ અચાનક તળાવમાં નર્મદાનું પાણી છોડવાનું બંધ કરી દેવાયું હતું. બીજી બાજુ સરકારે 600 તળાવોમાં નર્મદાનું પાણી ભરવાની સરકારની જાહેરાતથી ખેડૂતોને ફરી આશ બંધાઇ હતી. તેમ છતાં પાણી ન મળતાં ખેડૂતોએ કરેલી 100 વીઘા જમીનની વાવણી પર સંકટ તોળાઇ રહ્યું છે. ગામના તળાવમાં નર્મદાનું પાણી ઠલવાય તેવી સ્થાનિક ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.
No comments:
Post a Comment