Breaking

Post Top Ad

Your Ad Spot

Sunday, November 29, 2020

વિશ્વ હિન્દુ પરિષદ,પંચમહાલ વિભાગ દ્વારા ગોધરા ખાતે સામાજિક સમરસતા








 વિશ્વ હિન્દુ પરિષદ,પંચમહાલ વિભાગ દ્વારા ગોધરા ખાતે સામાજિક સમરસતા વિભાગ દ્વારા વિચાર સમરસતા ગોસ્થી નું આયોજન કરવામાં આવેલ હતું અસ્પૃશ્યતાના દૂષણને દૂર કરવા સમરસ-સમર્થ સમાજ ના નિર્માણ માટે આ પ્રકારની ગોષ્ટી નું આયોજન કરવામાં આવતું હોય છે હિન્દુ સમાજ માટે એક મંદિર એક કુવો એક સ્મશાન હોવું જોઈએ આપણે સૌ એક સમાન, હિન્દુ હિંદુ ભાઈ ભાઈ એ પ્રકારની કલ્પના સમરસતા નિર્માણ માટે પૂજ્ય સંતો દ્વારા અથાક પ્રયાસો કરવામાં આવેલ છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દલિત વસ્તી મા ભોજન ગ્રહણ કાર્યક્રમ કરવા ના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ ખાતેના શિલાન્યાસ કાર્યક્રમ મા શિલાન્યાસ એક દલિત બંધુના હસ્તે કરવામાં આવેલ જે સમસ્ત આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી સમયમાં પ્રત્યેક જિલ્લા મથકો પર આ પ્રકારની સમરસતા ગોષ્ઠી નું આયોજન કરવામાં આવનાર છે સાથે સાથે સમરસતા યાત્રા, સમરસતા યજ્ઞ જેવા કાર્યક્રમો ના આયોજન કરવામાં આવનાર છે ગામડે ગામડે ઘરે ઘરે જઈ સામાજિક સમરસતા નિર્માણનું જાગરણ કરવામાં આવશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય સરસંઘચાલક સમરસતાના સંદર્ભમાં પોતાના ઘણા અનુભવો કયા છે જેમાં એક મંદિર એક કુવો અને એક સ્મશાન જે નિર્માણ થાય તેઓ આગ્રહ કરવામાં આવે છે અંતમાં સમરસતા પ્રસ્તાવ પ્રારીત કરી અસ્પૃશ્યતા નાબૂદીનો સંકલ્પ લેવામાં આવ્યો આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મહિલા અંડર-19 કપ્તાન તરીકે  દલિત સમાજ ની દીકરી હિરલબેન સોલંકી,રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા મૂર્તિકાર કિરણભાઈ ચાંપાનેરીયા, વણિક સમાજ ની દીકરી રાજવી દક્ષેશભાઈ શાહ કે જેને Homeland સિક્યુરિટી ફ્રેન્ડ એન્ટી ટૅરરિઝમ મા ફર્સ્ટ ક્લાસ વિથ ડિસટીકશન થી પાસ થયેલ છે તેમજ દલિત દંપતિ પરીક્ષિત ભાઈ ચૌહાણ જે રેલવે સુપ્રિટેન્ડેન્ટમાં ઓફીસ માં ફરજ બજાવે છે અને એમના ધર્મપત્ની સોનાલીબેન ચૌહાણ કે જેઓ એડવોકેટ છે આ સૌનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા અને કેન્દ્રીય મંત્રી દેવજીભાઈ રાવત,RSSના નડિયાદ વિભાગના માનનીય સંઘ ચાલકજી શ્રી પરિમલભાઈ પાઠક, VHP ના ક્ષેત્રીય સેવા પ્રમુખ રામભાઈ પટેલ,પંચમહાલ જિલ્લા સરકારી વકીલ શ્રી રાકેશભાઈ ઠાકોર,SC-STમોરચાBJP પ્રદેશ મંત્રી મંત્રી નાથાભાઈ વણકર, પ્રોફેસર વિનોદભાઈ વિનોદભાઈ ગાંધી, માલવદિપસિંહ રાહુલજી, vhp પ્રાંત સહમંત્રી શંભુપ્રસાદ શુક્લ, વિભાગ મંત્રી ઇમેશભાઈ પરીખ, જિલ્લા મંત્રી નીલેશ ભાટિયા, કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ ભગત તેમજ વિવિધ સમાજના અને વિવિધ ક્ષેત્રના કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.                           

  રિપોર્ટર વિનોદભાઈ પુરાણી પાવાગઢ હાલોલ

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot