Breaking

Post Top Ad

Your Ad Spot

Monday, November 2, 2020

કૃષિ યુનિવર્સિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી કરાઇ - ઓનલાઇન સેમિનારમાં ૯૫૦ એ ભાગ લીધો હતો



 તા.૨ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે, યુનિવર્સિટીનાં કુલપતિ ડો. વી પી. ચોવટીયાની પ્રેરણાથી તા.૩૧/૧૦/૨૦૨૦નાં રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી રાષ્ટ્રીય એકતા દિવસના ભાગરૂપે કરવામાં આવી હતી. યુનિવર્સિટીનાં અધિકારીઓ તથા કર્મચારીઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા. આ ઉજવણીના ભાગ રૂપે યુનિવર્સિટી દ્વારા "સરદાર - અખંડ ભારતના શિલ્પી" વિષય પર ઓનલાઇન સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં મુખ્ય વક્તા અને જૂનાગઢના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર અમુદાનભાઈ ગઢવીએ તેમની આગવી શૈલીમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કાર્ય વિશે સૌને પરિચિત કર્યા હતા. આ કાર્યક્રમમાં વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એચ.એમ.ગાજીપરા, નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિ ડો.વી.આર.માલમ, તમામ મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન ડો.એન.કે.ગોંટીયા, ડો.કે.એ.ખૂંટ, ડો.પી.એમ.ટાંક, નિયામક આઇ.ટી.સેલ, ડો.કે.સી.પટેલ, સહ સંશોધન નિયામક, ડો.પી.મોહનોત તથા તમામ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં અંદાજે ૯૫૦ જેટલા અધિકારીઓ/કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહ વિસ્તરણ શિક્ષણ શાસ્ત્રી, ડો.વી.એમ.ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot