અમદાવાદ (Ahmedabad) શહેરના પોલીસ કમિશનર (Police Commissioner)ની તબિયત લથડી હોવાના અહેવાલ મળી રહ્યા છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ (Police Commissioner Sanjay Srivastava)ને ઈન્ફેક્શન (Infection) થવાના કારણે હોસ્પિટલ (Hospital)માં દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસ કમિશનરને તાવ આવ્યાં પછી ફેફસાંનું ઈન્ફેક્શન (Lung infection)હોવાનું જણાતાં હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે અને તેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.
જોકે પોલીસ સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્વતને કોરોના થયો નથી અને ફેફસાંના ઈન્ફેક્શનની સારવાર પછી તબિયત સુધારા પર છે. તેમને કોરોના થયો હોય તેવા કોઈ ચિહ્નો તબીબી તપાસમાં જણાયાં નથી, જેથી તેમને વહેલામાં વહેલી તકે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જ્યારે તબીબી સૂત્રોએ જણાવ્યું કે, આઈ.પી.એસ. સંજય શ્રીવાસ્તવને સામાન્ય લંગ્સ ઈન્ફેક્શન છે અને તેમની તબિયત સુધારા પર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિશે સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને કોરોના થયો નથી પણ ફેફસાનું ઈન્ફેક્શન છે જેથી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. હાલ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ ક્રાઈમ બ્રાન્ચના વડા અમિત વિશ્વકર્માને સોંપવામાં આવ્યો છે.
No comments:
Post a Comment