રાજકોટની પી.ડી.યુ. સિવિલ કોવીડ હોસ્પિટલમાં ૫૦૦થી
વધું નર્સિંગ કર્મીઓ મહિનાઓથી અવિરત સેવા આપી રહ્યા છે. કોરોનાની મહામારીમાં જે રીતે તબીબો કોરોના વોરીયર્સ
બની દર્દીઓની સારવાર કરી રહ્યા છે તેવી જ રીતે આ સારવાર-સેવામાં જેની ભુમિકા
અગત્યની છે તેવા નર્સિંગ સ્ટાફના કર્મીઓ પણ ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર બની
પરિવારની પરવા કર્યા વગર કોરોના સંક્રમિત દર્દીઓની સેવા કરી રહ્યા છે.
કોરોના સામેની લડાઈમાં રાજ્ય
સરકાર, જિલ્લા વહીવટી તંત્ર, હોસ્પિટલ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ નર્સિંગ
સ્ટાફે દિવસ-રાત કામ કરી કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં સાચા અર્થમાં કર્મયોગ
ચરિતાર્થ કર્યો છે.
રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની
બહેનો કોરોનાથી સંક્રમિત થાય તો સારવાર
મેળવીને અથવા તો હોમ આઇસોલેટેડ થઈને ફરી સ્વસ્થ થઈ સારવારમાં લાગી જાય છે. આવી છે
સંવેદનશીલ સરકારના સંવેદના સભર કર્મયોગીઓની સંવેદના.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં
૧૪ વર્ષથી સેવા આપતા નર્સ બહેન અર્ચના ગોસાઇએ
જણાવ્યું હતું કે તેઓનો તા.૩ સપ્ટેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ૧૪ દિવસ સુધી આઈસોલેટેડ માં રહી સારવાર મેળવી સાજા થઇ ફરી સેવામાં લાગી ગયા હતા . તેઓએ જણાવ્યું હતું કે
તેમની સેવા કોવિડ હોસ્પિટલમાં હોવાથી ઘરે વિશેષ તકેદારી રાખવી પડે છે. તેમની ડયુટી
રોટેશન મુજબ હોય છે અને જ્યારે તેઓ સેવા કરીને ઘરે જાય છે ત્યારે બાળકોને ચેપ ન
લાગે તે માટે વિશેષ તકેદારી રાખે છે .સિવિલ હોસ્પિટલ ની સેવા તેમના માટે મુખ્ય છે
અને તેઓએ પણ લોકોને જાગૃત રહી સાવચેતી રાખવા અપીલ કરી હતી.
આવા જ બીજા એક સેવાભાવી ધર્મિષ્ઠાબેન ભલગામાએ કહ્યું હતું કે તેઓ આઇ હોસ્પિટલમાં સેવા આપે છે અને
રોટેશન મુજબ તેમને સિવિલ હોસ્પિટલમાં સેવા કરવાની હોય છે. તેમનું પાંચમું રોટેશન
ચાલતું હતું ત્યારે તેઓ પણ દર્દીઓની સારવાર કરતી વખતે કોરોનાથી સંક્રમિત થયા હતા તેમને દસ વર્ષનો પુત્ર છે તેમને સંક્રમણ ન લાગે તે
માટે સગા સંબંધીને ત્યાં મૂકીને તેઓએ સારવાર મેળવી હતી અને જ્યારે પણ સિવિલ
હોસ્પિટલમાંથી સેવા કરીને ઘરે પરત ફરે ત્યારે પરિવારજનોને કોઈ તકલીફ ન પડે તે માટે
કાળજી રાખે છે. ધર્મિષ્ઠાબેને રાજકોટ શહેર જિલ્લાના લોકોને સતત માસ્ક પહેરવા અને
કોરોનાથી બચવા માટે સરકારની માર્ગદર્શિકા નું પાલન કરવા અને
તકેદારી રાખવા અનુરોધ કર્યો છે.
- વર્તમાન કોરોનાની
મહામારીને
કારણે અનેક લોકો રોગ અને તેની સારવારની માહિતીથી અજાણ હોવાથી અને માત્ર સાંભળેલી
વાતોથી દેારવાઇને જીંદગી પ્રત્યે હતાશા અનુભવતા હોવાનું સામાન્યતઃ જોવા મળે છે. પરંતુ
રાજકોટ કોવિડ-૧૯ હોસ્પિટલના નિષ્કામ અને ફરજપરસ્તી
સાથે રાષ્ટ્ર સેવાને સમર્પીત આરોગ્ય કર્મીઓની સેવાની જયોત આવા હતાશ દર્દીઓ માટે
હરહંમેશ આશાનો દિપ પ્રજવલીત રાખવા તત્પર રહયો છે.
આ બાબતની સાક્ષી
પુરતા રાજકોટ કોવીડ-૧૯ હોસ્પિટલમાંથી તાજેતરમાંજ કોરોના
સંક્રમણથી મૂકત બની સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફરતા ૬૯ વર્ષીય પુષ્પાબેન મેરના પુત્ર
શ્રી ઋષીકેશભાઇ સંતોષની લાગણી સાથે જણાવે છે કે મારી માતાને કોરોના થતાં મને
માતાની જીવવાની આશા ધુંધળી ભાસતી હતી. પરંતું
રાજકોટ સિવીલ હોસ્પિટલના ડોકટરોએ દેવદુત બની અમારો સહારો બન્યા છે. તેઓએ
મારી માતાની આપ્તજનસમી સેવા કરી છે. તેઓની નિયમીત
દવાઓ, સતત દેખરેખ સારવાર
અને ખાસ તો વારંવાર માતાને સધિયારા સાથે હિંમત અને હુંફ આખરે કારગર બની મારી
માતાને સ્વસ્થ બનાવ્યા છે.
આવા જઅન્ય કોરોનાને
હરાવી સ્વસ્થ બનેલા અને અહોભાવની લાગણીથી ગદગદીત હંસાબેન જીવનભાઇ ધોકિયા કહે છે કે
કોવિડ-૧૯ હોસ્પિટલના આરોગ્યકર્મીઓની સધન સારવાર, નિયમીત અને સમયસર દવાઓ, દરરોજ પોષક
આહાર સાથે નાસ્તો અને અન્ય સુવિધા સાથે ઘરના આત્મીયજન કરતા પણ વિશેષ હુંફ અને
દેખરેખ એ આ સમયમાં અકલ્પનિય છે. સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી
વિજયભાઇ રૂપાણીએ રાજયના કોરોના દર્દીઓ પ્રત્યેની સંવેદના અને મોંઘેરી સારવાર
નિઃશુલ્ક આપાય તેવી સુદ્રઢ વ્યવસ્થા કરી છે. આવી જ સંવેદનાથી સભર આરોગ્યકર્મીઓની
આત્મિયતા અને સેવાએ મને નવી જિંદગી બક્ષી છે. એટલું
જ નહીં વીડીયો કોલીંગ દ્વારા ઘરના સભ્યો સાથે સતત સંપર્ક બનાવી આપી તેઓએ કયારેય
ઘરની ખોટ સાલવા દીઘી નથી.
No comments:
Post a Comment