માસ્ક, સોશીયલ ડિસ્ટન્સીંગ અને પૂર્ણ જાગૃતિ વડે
સૌ સાથે મળી કોરોનાને દેશવટો આપીએ.
-સાંસદશ્રી
પરબતભાઇ પટેલ
કોરોના
વિશે જનજાગૃતિ વધારવા પાલનપુર શહેરમાં આઇ.એમ.એ. દ્વારા ફ્લેગમાર્ચ યોજાઇ.
ડૉકટરો
PPE કીટ
પહેરી માસ્ક અને ફેસ શિલ્ડ સાથે
રેલીમાં જોડાતાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા.
કોરોના
સંક્રમણથી લોકોને સુરક્ષીત રાખવા જન-જાગૃતિ વધે તે ખુબ જ જરૂરી છે. ઈન્ડિયન મેડિકલ એસોસીએશન પાલનપુરના ડૉક્ટર મિત્રો
દ્વારા જન-જાગૃતી વધારવા માટે પાલનપુર શહેરમાં રેલી સ્વરૂપે ફ્લેગમાર્ચ યોજવામાં
આવી હતી. જેને સાંસદશ્રી પરબતભાઈ પટેલે જોરોવર પેલેસથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું કે,
કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં પ્રસરી છે. ભારતમાં સરકારશ્રીના વિરાટ પ્રયાસો
અને પ્રચંડ જનસહયોગને લીધે પરિસ્થિતી કન્ટ્રોલમાં છે. તેમણે કહ્યું કે ડૉક્ટરો પી.પી.ઈ.
કીટ પહેરીને સૈનીકોની જેમ દિવસ રાત સેવાનું કાર્ય કરી રહ્યા છે તે બદલ તેમને બિરદાવું
છું. હોસ્પિટલોમાં ફરજ બજાવતા સ્ટાફના યોગદાનની પણ સાંસદશ્રીએ સરાહના કરી હતી. લોકોમાં જાગૃતિ વધારવા માટે ઈન્ડિયન મેડિકલ
એસોસીએશન પાલનપુરના ડૉકટર્સ દ્વારા રેલીના માધ્યમથી ઘર-ઘર સુધી સંદેશો પહોચાડવાનું
આયોજન કરવામાં આવ્યુ તે બદલ સાંસદશ્રીએ અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા.
સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે
આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રજાને સંદેશ આપે છે કે......., જ્યાં
સુધી દવા નહી, ત્યા સુધી ઢીલાશ નહી તથા દો ગજ કી દુરી........, નું જાગૃતિપૂર્વક
પાલન કરીએ. સાંસદશ્રીએ જણાવ્યું કે અત્યારે માસ્ક અને દો ગજ કી દુરીનું પાલન એ
મોટી દવા સમાન છે. કોરોના સંક્રમણ અટકાવવા દરેક લોકોએ માસ્ક પહેરવું બહુ જ જરૂરી
છે. તેમણે કહ્યું કે ડરવાની કે ચિંતા કરવાની કોઇ જરૂર નથી પરંતુ આપણે જેટલા જાગૃત
રહીશુ તેટલા સલામત અને સેઇફ રહી શકીશું. સામાજીક પ્રસંગોમાં સરકારશ્રીના નિયમોનું
પાલન કરવા તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
સાંસદશ્રી
પરબતભાઇ પટેલે જણાવ્યું કે, કોરોના સંક્રમણ ઉપર અંકુશ મેળવવા સમગ્ર બનાસકાંઠા
જિલ્લામાં ઠેર-ઠેર રેપીડ ટેસ્ટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં આરોગ્ય
વિભાગ દ્વારા ધન્વંતરી રથ મુકીને લોકોના આરોગ્યની ચકાસણી અને રેપીડ ટેસ્ટીંગની
કામગીરી કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અધિકારી, કર્મચારીઓની ટીમો
બનાવવામાં આવી છે. જેના દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
રેલીમાં ડૉક્ટરો દ્વારા પી.પી.ઈ. કીટ, ફેસ શિલ્ડ
અને માસ્ક સાથે પાલનપુર શહેરના જોરાવર પેલેસથી નિકળી ગુરુનાનક ચોક, સિટીલાઈટ રોડ,
દિલ્હીગેટ, સિવીલ હોસ્પિટલ, કિર્તીસ્તંભ વિસ્તારમાંથી ફરી હતી અને ગુરુનાનક ચોક
ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. ડૉકટરો પી.પી.ઈ. કીટ પહેરી માસ્ક અને
ફેસ શિલ્ડ સાથે રેલીમાં જોડાતાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયાએ
જણાવ્યું કે, ઈન્ડિયન મેડિકલ એસોસીએશન પાલનપુરના ડૉક્ટર મિત્રો દ્વારા જન-જાગૃતી
વધારવા માટે પાલનપુર શહેરમાં રેલી સ્વરૂપે ફ્લેગમાર્ચ યોજવાનું આયોજન કરવામા
આવ્યું તે સરાહનીય છે. ડૉકટર મિત્રોની આ રેલી લોકોમાં જાગૃતી વધારવા ઉપયોગી
નિવડશે. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં લોકોને કોરોના સંક્રમણથી સુરક્ષીત
રાખવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેમજ જિલ્લા
વહિવટી તંત્ર સંપૂર્ણ એક્ટીવ અને એલર્ટ છે.
પ્રારંભમાં સ્વાગત પ્રવચન પાલનપુરના પ્રસિધ્ધ અને સેવાભાવી ડૉ. શ્રી સુરેન્દ્ર ગુપ્તાએ કર્યુ હતું. આ પ્રસંગે ઈન્ડિયન મેડિકલ એસોસીએશન પાલનપુરના પ્રમુખ ડૉ. એચ. જી. ભાવસાર, આરોગ્ય વિભાગના નોડલ ઓફિસરશ્રી ડૉ એન. કે. ગર્ગ, પાલનપુર શહેરના નામાંકિત ડૉક્ટરશ્રીઓ સહિત સારી સંખ્યામાં લોકો જોડાયા હતા.
No comments:
Post a Comment