Breaking

Post Top Ad

Your Ad Spot

Saturday, November 28, 2020

ભારત સરકારના ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય યોજિત રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટમાં વિડીયો લીંકથી સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી





 

દેશની કુલ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ગુજરાતનું પ્રદાન ૧૩ ટકા છે:- મુખ્યમંત્રીશ્રી

........

સૌર ઊર્જા – બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્રે ગુજરાતની સફળ સિદ્ધિઓની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રી

......

-: શ્રી વિજયભાઇ રૂપાણી :-

Ø ૨૦૧૦માં ચારણકામાં એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપીને ગુજરાતે આજે વન સન-વન વર્લ્ડ-વન ગ્રીડનો સફળ રાહ વિશ્વને બતાવ્યો

Ø ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્મેન્ટ રિજીયનમાં પાંચ હજાર મેગાવોટ અલ્ટ્રા મેગા સોલાર પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે

Ø રિન્યુએબલ એનર્જી સેકટર રોજગારી સર્જનનું પણ મહત્વનું સેકટર બન્યું છે

Ø રાજ્યમાં ૩૦ ગીગાવોટ ક્ષમતામાં રિન્યુએબલ એનર્જી ૩૭ ટકા ફાળો આપે છે

Ø ખેતીવાડીને સૂર્ય ઊર્જા સાથે જોડીને રાજ્યના કિસાનોને સૂર્યશકિતથી ખેતી કરતા બનાવ્યા છે –પ્રદૂષણમુકત ખેતી દ્વારા હરિતક્રાંતિની પરિભાષા સાકાર થઇ

Ø રાજ્યમાં ૧ લાખ ૭૦ હજાર ઘરો પર સોલાર રૂફટોપથી ઘર વપરાશ માટે સૌર ઊર્જાનો ઉપયોગ થાય છે

........

       મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારત સરકારના ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય આયોજીત રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એકસપોની ત્રીજી આવૃત્તિમાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશની કુલ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં ગુજરાત ૧૩ ટકા જેટલું મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

       તેમણે જણાવ્યું કે, રાજ્યની કુલ ૩૦ ગીગાવોટ ક્ષમતામાં રિન્યુએબલ એનર્જીનો ૩૭ ટકા ફાળો એટલે કે ૧૧ ગીગાવોટ ઉત્પાદન છે.

       મુખ્યમંત્રીશ્રીએ દેશમાં પુન:પ્રાપ્ત ઊર્જાની વૃદ્ધિ અને વિકાસ માટે કાર્યશીલ રહેલા આ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલયના પરિણામદાયી પ્રયાસોને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સતત માર્ગદર્શન મળતું રહે છે તેની સરાહના કરી હતી.

       મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આ મીટમાં સંબોધન કરતાં એમ પણ જણાવ્યું કે, દેશની રિન્યુએબલ એનર્જી કેપેસિટી ૮૯,ર૩૦ મેગાવોટ છે તેની સામે ગુજરાતે ૧૧,ર૬૪ મેગાવોટ કેપેસિટીનું યોગદાન આપેલું છે.

       શ્રી વિજયભાઇ રુપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી સેકટર માત્ર ઊર્જા ઉત્પાદનના વિકલ્પના રૂપમાં નહિ, પરંતુ રોજગારી સર્જન માટે પણ એક મોટા સેકટર તરીકે ઊભરી આવ્યું છે.

       સૌર ઊર્જા પાર્ક, વિન્ડ પાર્ક દ્વારા ઉત્પાદન એકમોમાં રોજગારીની તકો ખૂલી છે તો સાથોસાથ નાગરિકો-લોકોને પણ સ્વચ્છ ઊર્જા ગ્રીન કલીન એનર્જી મળે તે માટે રાજ્યમાં સોલાર રૂફટોપ યોજના અન્વયે ૧ લાખ ૭૦ હજાર રહેણાંક મકાનોને સૌર ઊર્જા વપરાશનો લાભ મળ્યો છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

       મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત રેસીડેન્શીયલ રૂફટોપ યોજના ‘સૂર્ય ગુજરાત’નો ૬પ હજાર લાભાર્થીઓને આપીને ૧૯૦ કરોડ રૂપિયાની સબસિડી આપી છે.

       તેમણે કહ્યું કે, ગુજરાત હંમેશા ચુનૌતીઓના સમાધાનથી પ્રગતિનો પથ કંડારનારૂં રાજ્ય રહ્યું છે. રિન્યુએબલ એનર્જીના ઉપયોગમાં પણ જનભાગીદારી જોડવા સાથે સરળ નીતિઓથી આ એનર્જીને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ ઉત્પાદન એકમોને પણ પ્રોત્સાહન આપીને બેય માટે લાભકર્તા સ્થિતી ઊભી કરી છે.

       મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ર૦૧૦માં જ્યારે હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ચારણકામાં એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપવાની પહેલ કરી ત્યારે સૌ માટે આ એક આશ્ચર્ય હતું. આજે હવે તેમનું આ કદમ ‘‘વન સન, વન વર્લ્ડ વન ગ્રીડ’’નો માર્ગ વિશ્વને ચીંધી રહ્યું છે.

આ સફળતાને પગલે હવે ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનમાં પાંચ હજાર મેગાવોટના અલ્ટ્રા મેગા સોલાર પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.  

       શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ખેડૂતોને પણ સૂર્યશકિતની ઊર્જા મળે તે માટે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરીને ખેતીવાડી અને બિનપરંપરાગત ઊર્જાનો સહયોગ કર્યો છે તેની ભૂમિકા આપી હતી.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot