સરસ્વતી નદીના કિનારે તર્પણનો મહિમા હોઈ
રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ માટે સિદ્ધપુર આવી રહ્યા છે. આ સ્થળોએ
જાહેરનામાનો ભંગ કરનારા વાહનો ડિટેઈન કરવા ઉપરાંત માસ્ક વગર ફરનારા લોકો પાસેથી
પોલીસ દ્વારા દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે.જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ
દ્વારા સિદ્ધપુરની મુલાકાત લઈજાહેરનામાના અમલ માટેની વ્યવસ્થાનું નિરિક્ષણ કરી
જરૂરી સુચનો કર્યા હતા.
તર્પણ
વિધિ માટે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માધુ પાવડિયા ઘાટ ખાતે શ્રદ્ધાળુઓનો
ધસારો વધવા પામ્યો છે. જેના કારણે કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ અને જોખમમાં
વધારો થયો છે. જેને ધ્યાને લઈ સિદ્ધપુર પોલીસ દ્વારાજિલ્લા કલેક્ટરશ્રી દ્વારા
પ્રસિદ્ધ કરવામાં આવેલા વિવિધ પ્રતિબંધો ફરમાવતા જાહેરનામાનો ચુસ્ત અમલ કરાવવામાં
આવી રહ્યો છે.જે અંતર્ગત સિદ્ધપુર પોલીસ દ્વારા પરવાનગી કરતાં વધુ મુસાફરો ભરીને
જતા ૧૦ જેટલા વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે. મોટર વ્હિકલ એક્ટની કલમ-૨૦૭ હેઠળ
વાહનો ડિટેઈન કરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કોરોના
વાયરસના સંક્રમણને અટકાવવા ફેસ માસ્કના ફરજીયાત ઉપયોગના જાહેરનામાનો ભંગ કરવા બદલ
માધુ પાવડિયા ઘાટ વિસ્તારમાંથી ૧૫ લોકો પાસેથી પોલીસે રૂ.૧૫,૦૦૦નો દંડ વસુલ કર્યો છે. સાથે સાથે ત્રણથી વધુ વ્યક્તિઓ એકઠા થવાના
પ્રતિબંધનો ભંગ કરવા બદલ કલમ-૧૮૮ હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
ઉપરાંત
આરોગ્ય વિભાગ દ્વારા માધુ પાવડિયા ઘાટ ખાતે શરૂ કરવામાં આવેલા ટેસ્ટીંગ કેમ્પમાં તા.૨૬
નવેમ્બરના રોજ ૪૩ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે
તમામના કોવિડ-૧૯ રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા પણ માસ્ક
પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અંગે જનજાગૃતિ કેળવવા માઈક દ્વારા સતત અપીલ
કરવામાં આવી રહી છે.
આગામી
તા.૩૦ નવેમ્બર સુધી કલેક્ટરશ્રીના જાહેરનામાનો કડકાઈથી અમલ કરવામાં આવશે. આથી વિધિ
માટે આવતાં શ્રદ્ધાળુઓને જાહેરનામાની શરતોનું પાલન કરવા જણાવવામાં આવે છે.
No comments:
Post a Comment