Breaking

Post Top Ad

Your Ad Spot

Monday, November 2, 2020

ઓઢવમાં કાળાબજાર માટેનો રેશનિંગનો ૨,૫૦૦ કિલો અનાજનો જથ્થો ઝડપાયો


 
ગરીબો માટે અપાતા સરકારી અનાજને બારોબાર વેચાણ કરવાના કૌભાંડનો શહેર પોલીસે પર્દાફાશ કર્યો છે. ઓઢવ પાસે આવેલ સત્યમનગરમાં સરકારી અનાજની દુકાનમાંથી ૨૫૦૦ કિલો ઘઉંનો જથ્થો ગાડીમાં ભરીને ઓઢવ ઓવરબ્રિજ નીચેથી જતા ડીસીપી ઝોન-૫ની સ્કવોર્ડે ઝડપી લીધો છે. પોલીસે ઝડપેલા ઘઉંનો જથ્થા અંગે જાણ કરતા પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ રેશનની દુકાન પર દોડી આવ્યા હતા. પોલીસે ઘઉંના જથ્થા કૌભાંડમાં સંદીપ સંતોષ જૈન સહિત ત્રણેયની ધરપકડ કરી છે. અગાઉ કરોડો રૂપિયાના અનાજ કૌભાંડમાં પકડાયેલા આરોપી હવે સરકારી અનાજ બારોબાર વેચાણ કરવાના કૌભાંડમાં સામેલ છે. જો પોલીસ કે સરકારી બાબુઓ દ્વારા કેસ કરવામાં આવે તો કાયદાકીય ગૂંચ ઊભી કરીને છટકબારી શોધી લે છે.

રેશનિંગ કાર્ડ ધારકોને અનાજ મેળવવામાં અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. પરંતુ સસ્તા અનાજના દુકાનદારો ગરીબોનું સસ્તું અનાજ બારોબાર વેચીને કૌભાંડ આચરી રહ્યા છે. આ અંગે બાતમી મળી હતી. જેને આધારે ડીસીપી ઝોન-૫ સ્ક્વોડ દ્વારા સત્યમનગરમાં આવેલી ગાયત્રી પ્રકાશ ગ્રાહક ભંડાર નામની સસ્તા અનાજની દુકાનને પુરવઠા વિભાગ દ્વારા ફળવવામાં આવેલો ૨૫૦૦ કિલો ઘઉંનો જથ્થો જે વાહનમાં સગેવગે કરાતો હતો  તે વાહન સાથે ત્રણ શખ્સોને ઝડપી લેવાયા છે.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot