ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ
રાવે આજે ગોત્રી અને સયાજી હોસ્પિટલો ની મુલાકાત લીધી હતી અને કોવિડ સારવાર
વ્યવસ્થાઓ ની વિગતવાર સમીક્ષા કરી હતી.તેમણે જણાવ્યું કે, ઉપરોક્ત બંને
હોસ્પિટલોમાં,
પ્રત્યેકમાં કોવિડ સારવાર માટે ૫૭૫
પથારીની સુવિધા છે.તેની સામે હાલમાં ગોત્રી માં ૨૫૭ અને સયાજી હોસ્પિટલમાં ૨૦૦
દાખલ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.બંને હોસ્પિટલોમાં,પ્રત્યેકમાં ૧૦૦ અદ્યતન વેન્ટિલેટર ઉપલબ્ધ છે.તેની સામે ગોત્રી માં ૫૩
અને સયાજીમાં ૩૧ દર્દીઓ વેન્ટિલેટર સારવાર હેઠળ છે.અગમચેતીના ભાગરૂપે ગોત્રીમાં
વધુ ૧૦ અને સયાજીમાં ૫૦ વેન્ટિલેટર આગામી ૨ દિવસમાં ઉમેરવાનું આયોજન કરવામાં
આવ્યું છે.તકેદારીના ભાગરૂપે આજ થી ગોત્રીની ઈ એસ.આઇ.હોસ્પિટલમાં૫૦ પથારીનો કોવિડ
સારવાર વોર્ડ ફરી થી કાર્યરત કરવામાં આવ્યો છે.તે જ રીતે જરૂરિયાત જણાશે તો આગામી
સપ્તાહમાં કારેલીબાગની ચેપી રોગ હોસ્પિટલમાં ૫૦પથારીની કોવિડ સારવાર સુવિધા ફરીથી
ચાલુ કરવામાં આવશે.આગામી સમયમાં વધુ એકવાર કોવિડ માટે માન્ય કરવામાં આવેલી સરકારી
અને ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ઓડિટ હાથ ધરવાની તજવીજ કરવામાં આવી રહી છે.
દવાખાનાઓમાં સારવાર હેઠળના કોવિડ દર્દીઓ માટે
ઓકસીજન પુરવઠો અવિરત જળવાઈ રહે તે માટે ખોરાક અને ઔષધ વિભાગના મદદનીશ કમિશનરને
સરકારી અને ખાનગી દવાખાનાઓમાં ઓકસીજન સપ્લાય ઓડિટ હાથ ધરવા સૂચના આપી છે.
No comments:
Post a Comment