રાજ્ય સરકાર દ્વારા લધુત્તમ
ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સીઝન - ૨૦૨૦-૨૧ અંતર્ગત ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી આગામી તા: ૧૬-૧૦-૨૦૨૦ થી તા: ૩૧-૧૨-૨૦૨૦ દરમ્યાન ગુજરાત
રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. ના ડાંગર / મકાઇ માટે લુણાવાડા, સંતરામપુર.વિરપુર, બાલાસિનોર, તથા ખાનપુર તાલુકા માટે અંબિકા એનીમલ્સ ફીડસ ગામ ચારણના દહેગમડા તથા બાજરી
માટે વિરપુર, બાલસિનોર ગોડાઉન કેન્દ્રો
ખાતે તથા ખાનપુર તાલુકા માટે અંબિકા એનીમલ્સ ફીડસ ગામ ચારણના દહેગમડા ખરીદ કેન્દ્ર
ઉપર થવાની છે. ત્યારે લધુત્તમ ટેકાના ભાવે પાકનું વેચાણ કરવા ઇચ્છુક ખેડુતો માટે
રજીસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો કરાયો છે. જે અંતર્ગત ખેડુતો આગામી તા -૧૦ મી
નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી પુરવઠા નિગમનાં કેન્દ્રો પર થવાની છે. જે અંતર્ગત
મહિસાગર જીલ્લાના જે પણ ખેડુતો પોતાના ડાંગર, મકાઇ અને બાજરીના પાકનું લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેવા
ખેડુતોએ ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. તાલુકા ગોડાઉન ખાતે અગાઉ તા-૨૯/૧૦/૨૦૨૦
સુધીમાં નોંધણી કરાવવાની હતી. જો કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ સરકારશ્રી
દ્વારા આ મુદતમાં વધારો કરી તા-૧૦/૧૧/૨૦૨૦ સુધીમાં ખેડુતો નોંધણી કરાવી શકશે. તે
માટે નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે. નોંધણી માટે જરૂરી પુરાવા
જેવા કે આધાર કાર્ડની સેલ્ફ એટેસ્ટેટ નકલ, આધાર નોંધણી નંબર અને તે અંગેનો પુરાવો અધ્યતન ઓરીજનલ ગામ નમુનો નંબર-૭/૧૨, ૮/અ રેકોર્ડ્સની નકલ, ફોર્મ નંબર ૧૨ માં
પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોઇ તો પાક વાવ્યા અંગેનો તલાટીનો સહી સિક્કા સાથેનો
ઓરીજનલ દાખલો, ખેડુતોના નામે IFSC કોડ સહિતની બેન્ક એકાઉન્ટની વિગતો માટે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની
ઓરીજનલ નકલ સાથે લાવવાના રહેશે. ખેડુતોને તેમનો જથ્થો સાફ - સુફ તથા ચારણો કરી
તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરુરી જણાયે તડકામાં સુકવી ખરીદ
કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે. જેથી ખેડૂતોનો જથ્થો અસ્વિકૃત ન થાય રજીસ્ટ્રેશન
બાબતે કોઇ મુશ્કેલી જણાય તો જે - તે તાલુકાના સરકારી અનાજ ગોડાઉન કેન્દ્રના ગોડાઉન
મેનેજરશ્રીનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. તેમ નાયબ જિલ્લા મેનેજરશ્રી, ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા
નિગમ લી.મહીસાગરની અખબારી યાદીમાં જણાવાયું છે.
Post Top Ad
Your Ad Spot
Monday, November 2, 2020
Home
મહીસાગર
મહીસાગર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ડાંગર, મકાઇ, બાજરીની ખેડુતો પાસેથી સીધી ખરીદીમાં નોંધણીની મુદત ૧૦મી નવેમ્બર-૨૦૨૦ સુધી વધારાય
મહીસાગર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ડાંગર, મકાઇ, બાજરીની ખેડુતો પાસેથી સીધી ખરીદીમાં નોંધણીની મુદત ૧૦મી નવેમ્બર-૨૦૨૦ સુધી વધારાય
Tags
મહીસાગર#
Share This

About NDP TODAY NEWS
મહીસાગર
Labels:
મહીસાગર
Subscribe to:
Post Comments (Atom)
Post Top Ad
Your Ad Spot
Author Details
Ut wisi enim ad minim veniam, quis nostrud exerci tation ullamcorper suscipit lobortis nisl ut aliquip ex ea commodo consequat. Duis autem vel eum iriure dolor in hendrerit in vulputate velit esse molestie consequat.
No comments:
Post a Comment