કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ જિલ્લાની એનેમીક સગર્ભા મહિલાઓને તેમજ થેલેસેમિયાના દર્દીઓ સાથે કોરોનાના દર્દીઓને નિ:શુલ્ક ધોરણે અવિરતપણે રક્ત મળી રહે અને રક્તના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં અવાર-નવાર રકતદાન શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા
કલેકટર શ્રી આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી નેહા કુમારીના માર્ગદર્શન
હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. એસ. બી. શાહની રાહબરીમાં ડીટવાસ પ્રાથમિક
આરોગ્ય કેન્દ્રના ઝાલાસાગ હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર ખાતે શ્રીડૉ. સુભાષ
ઢાંકા, કોમ્યુનીટી હેલ્થ ઓફિસરશ્રી તુષાર પટેલ તથા
તેમની આરોગ્ય ટીમ અને રેડક્રોસ સોસાયટી, ગોધરાના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાઇ ગયો.
ઝાલાસાગ
ખાતે યોજાયેલ રકતદાન કેમ્પમાં ૬૦ રકતદાતાઓએ પોતાના રક્તનું દાન કરીને કોરોના
સામેની લડતમાં પોતાનું યોગદાન આપી ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડી રકતદાન-મહાદાનના
મંત્રને સાર્થક કર્યો હતો.
આ
રક્તદાન કેમ્પમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટેના સરકારની
ગાઇડલાઇનનું અને દિશાનિર્દેશોની સાથે ફરજિયાત માસ્કનો ઉપયોગ તેમજ સામાજિક અંતર
જાળવવાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પનું ખૂબજ
કાળજીપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું હતું જેથી કોઈ પણ રક્તદાતાને કોરોના વાયરસનો
ચેપ ન લાગે તે માટે દરેક ડોનરને નવી બેડશીટ પાથરીને જ રક્તદાન કરાવવામાં આવ્યું
હતું.
આ
રક્તદાન કેમ્પમાં ૬૦ બ્લડ યુનીટનું કલેક્શન કરવામાં આવ્યું હતું. રકતદાતાઓ જ્યારે
કેમ્પના સ્થળે આવ્યા ત્યારે તેમને થર્મલ ગનથી આરોગ્ય તપાસ કરી તેમના હાથ સાફ કરવા
માટે હેન્ડવોશ તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે સિનિયર મેડિકલ
ઓફિસર શ્રી બિરેન્દ્રસીંગે રક્તદાન કેમ્પમાં કોરોનાને ધ્યાને લઇ સાવચેતીના તમામ
પગલા સુનિશ્ચિત કરવાની સાથે રક્તદાતાઓને બેડશીટ બદલવાની અને તમામ સામગ્રી જંતુરહિત
રહે તેનું સુચારૂં આયોજન કર્યું હતું. સાથે આ રકતદાન કેમ્પમાં રકતદાન કરનાર દરેક
રકતદાતાને રેડક્રોસ સોસાયટી પંચમહાલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
આ
રકતદાન કેમ્પ દરમિયાન રકતદાતાઓને માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળવા
દરેકથી ઓછામાં ઓછું છ(૬) ફૂટનું અંતર જાળવવા, વારંવાર સાબુથી હાથ ધોવા કે સેનેટાઇઝરનો ઉપયોગ કરવા તથા તેમની અને તેમના સ્વજનોની
રોગપ્રતિકારક શકિત વધારવા આયુષની ઉપચાર પધ્ધતિઓ અપનાવવા અને યોગ-વ્યાયામ ઇત્યાદિથી
જીવનશૈલી સુધારવા તથા પરિવાર અને સમાજના
વડીલો, બાળકો અને બિમાર લોકોની વિશેષ કાળજી રાખવા અંગે
સમજ આપી આ સંદેશો જનજન સુધી પહોંચાડવા જણાવાયું હતું.
No comments:
Post a Comment