મણિનગર પોલીસ સ્ટેશનના નવ પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા
શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે ફરી એકવાર પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અમદાવાદ શહેરના કાલુપુર પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી દેસાઈ અને માધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.બી. બારડ કોરોના સંક્રમિત થયા છે અને તેઓને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. ઉપરાંત મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નવ જેટલા પોલીસ કર્મીઓ પણ કોરોના સંક્રમિત થતા હોમ કવોરન્ટીન થયા છે. શહેરમાં એકતરફ વડાપ્રધાન આવતીકાલે શનિવારે સી પ્લેનના લોકાર્પણ માટે આવે છે. જેના પોલીસ બંદોબસ્તમાં પોલીસ કર્મીઓ છે અને તેઓમાં કોરોના સંક્રમણનો ભય ફેલાયો છે.
અત્યાર સુધી 200 કર્મી સંક્રમિત થઈ ચૂક્યા છે
અમદાવાદના એસજી 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ એ.એસ. ડામોરનું બે દિવસ પહેલા જ કોરોનાના કારણે અવસાન થયું છે. ગાંધીનગરમાં તેઓ સારવાર લઇ રહ્યા હતા. અત્યાર સુધીમાં 200 જેટલા પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે પાંચથી વધુ પોલીસ કર્મીઓના કોરોનાના કારણે મોત થઈ ચૂક્યા છે.
No comments:
Post a Comment