Breaking

Post Top Ad

Your Ad Spot

Wednesday, September 30, 2020

સી.આર.સી.કો.ઓર્ડીનેટર અને બી.આર.સી.કો.ઓર્ડીનેટરના PTA માં વધારો, પ્રતિનિયુક્તિ રદ થતાં પરત મૂળ શાળા આપવા અને સ્પેશિયલ એજ્યુકેટર IED કર્મચારીઓને ચાર્જ ક્લસ્ટર નજીક આપવા બાબતે સ્ટેટ પ્રોજેકટ ડાયરેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી.

     


  સી.આર.સી.કો.ઓર્ડીનેટર અને બી.આર.સી.કો.ઓર્ડીનેટરના PTA માં વધારો, પ્રતિનિયુક્તિ રદ થતાં પરત મૂળ શાળા આપવા અને સ્પેશિયલ એજ્યુકેટર IED કર્મચારીઓને ચાર્જ ક્લસ્ટર નજીક આપવા બાબતે સ્ટેટ પ્રોજેકટ ડાયરેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી.  સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ કામગીરી કરતા ગુજરાત રાજ્યના તમામ સી.આર.સી.કો.ઓર્ડીનેટર અને બી.આર.સી.કો.ઓર્ડીનેટરઓને વર્તમાન મોંઘવારી અને ક્લસ્ટર મર્જ થતાં શાળાઓની સંખ્યામાં વધારો અને વર્તમાન હોમ લર્નિંગની કામગીરી ધ્યાને લઈ PTA માં સુધારો કરી વધું મળે તથા સી.આર.સી.કો.ઓર્ડીનેટર અને બી.આર.સી.કો.ઓર્ડીનેટર જ્યારે પોતાના હોદ્દા પરથી પોતાની પ્રતિનિયુક્તિ રદ કરાવી જ્યારે શિક્ષકમાં જવા માંગતા હોય ત્યારે તેમને પોતાની મૂળ શાળા આપવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી હતી. સ્પેશિયલ એજ્યુકેટર IED કર્મચારીઓને તાજેતરમાં ફાળવેલ મુખ્ય ક્લસ્ટરની સાથે ચાર્જ માટેના ક્લસ્ટર નજીક આપવા બાબતે માન. સ્ટેટ પ્રોજેકટ ડાયરેક્ટર                   ગાંધીનગર શ્રી પી.ભારતી સાહેબને સમગ્ર ગુજરાત રાજ્યના સી.આર.સી.કો.ઓર્ડીનેટર અને બી.આર.સી.કો.ઓર્ડીનેટરના પ્રતિનિધિ રૂપે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમાર, સી.આર.સી.ખોજલવાસા જ્યપાલસિંહ બારીઆ અને સી.આર.સી.નવી વાડી ગોવિદભાઈ મહેરા દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. માન.સ્ટેટ પ્રોજેકટ ડાયરેક્ટર ગાંધીનગર શ્રી પી.ભારતી સાહેબે તમામ રજૂઆતને ધ્યાને લઈ હકારાત્મક અભિગમ બતાવી નજીકના સમયમાં યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું હતું. વર્તમાન કોરોના મહામારીના સમયે હોમ લર્નિંગ શિક્ષણ અંતર્ગત પરિપત્રના માર્ગદર્શન મુજબ રૂબરૂ ઘરે જઈને અને ટેકનોલોજીના માધ્યમથી, ડીડી ગિરનાર, વર્ચ્યુઅલ કલાસરૂમ, પુસ્તક કુ.આર. કોડ, દીક્ષા એપ્લિકેશન દ્વારા રોજેરોજ મોકલવામાં આવતી લિંકનો વધુમાં વધુ ઉપયોગ કરી બાળકોને શિક્ષકો સી.આર.સી.કો.ઓર્ડીનેટર અને બી.આર.સી.કો.ઓર્ડીનેટર દ્વારા કોવિદ - 19 ની તમામ પ્રકારની ગાઈડલાઈન અનુસરીને શૈક્ષણિક-સહ શૈક્ષણિક કામગીરી તથા ફિટ ઈન્ડિયા અંતર્ગત રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી થાય તેવું માર્ગદર્શન આપવામાં આવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  માન શ્રી પી.ભારતી સાહેબનું માર્ગદર્શન, પ્રેરણા અને મુલાકાત સુખદ રહ્યુ હતું. માન.શ્રી પ્રકાશભાઈ ત્રિવેદી સાહેબનું માર્ગદર્શન પણ પ્રેરણાત્મક રહ્યું...    

  બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot