સુરત,શનિવાર: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એસ.એસ.આઈ.પી સેલ અને
એસ.ઈ.સી. સેલ દ્વારા તા.૧૮ સપ્ટેમ્બરના રોજ ‘બી
યોર ઓન બોસ થ્રુ ક્રિએટીવીટી’ અને ‘સ્ટાર્ટઅપ’ વિષય પર રાષ્ટ્રીય કક્ષાના વેબિનારનું આયોજન કરવામાં
આવ્યું હતું. મુખ્ય અતિથી તરીકે રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમા
વેબિનારમાં જોડાયા હતા.
મંત્રીશ્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ માટે સમગ્ર દેશમાં ગુજરાતે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સ્થાન જાળવી રાખવા વધુ મહેનત જરૂરી છે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપમાં જોડાય. આ ઉપરાંત તેમણે વરાળ સંચાલિત સેનેટાઇઝર ઉપકરણ, પ્રદુષિત હવાના શુદ્ધિકરણ માટે પોર્ટેબલ ઉપકરણ, ડાયાબીટીસ માપક યંત્રો જેવા ઉદાહરણો સાથે વિદ્યાર્થીઓને નવીન અસરકા૨ક સ્ટાર્ટઅપ સાથે આગળ આવવા પ્રેરીત કરીને પેટન્ટ કરાવવાનો અનુરોધ કર્યો હતો.
વડોદરાના
નાહક ઓવરસીઝ લીમીટેડના સી.ઈ.ઓ. અને મેનેજીંગ
ડાયરેક્ટર તજજ્ઞશ્રી જે.સી.શુક્લા અને હિમાચલ પ્રદેશની
મહર્ષિ મર્કંડેશ્વર મેડીકલ કોલેજના જીવાણુંશાસ્ત્રના પ્રોફેસર ડૉ. નેહા શર્મા
દ્વારા ઇનોવેશન અને સ્ટાર્ટઅપ પર સઘન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શ્રી
જે.સી.શુક્લાએ ૨૧મી સદીને ઈમ્ફોર્મેશન, કમ્યુનિકેશન
અને ટેકનોલોજીની સદી ગણાવતા આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત વિવિધ સ્ટાર્ટઅપને
સાંકળતી માહિતી આપી હતી. ડૉ. નેહા શર્માએ પ્રયોગશાળાની ટેકનોલોજીને સ્કેલેબલ કરી
કોમર્શિયલાઇઝ કરવા ઉપર ભાર મુક્યો હતો.
આ
વેબિનારનું જીવંત પ્રસારણ ફેસબુક દ્વારા કરવામાં આવ્યું હતું જે ૬૦૦૦ લોકોએ
નિહાળ્યું હતું, જેમાં યુગાન્ડા, કેન્યા
અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાંથી રસ ધરાવનારાઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત, યુનિવર્સીટીના કાર્યકારી કુલપતિ ડૉ. હેમાલીબેન દેસાઈ, વલસાડની ઈજનેરી કોલેજના આચાર્યશ્રી ડૉ. વી. એસ. પુરાણી, શિક્ષકો, તજજ્ઞો તથા ૬૫૦ જેટલા વિદ્યાથીઓએ
વેબિનારમાં ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે યુનિવર્સીટીના ઇન્ચાર્જ કુલસચિવશ્રી
એ.વી. ધડુકે આભારવિધિ કરી હતી
No comments:
Post a Comment