Breaking

Post Top Ad

Your Ad Spot

Wednesday, September 9, 2020

પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ટેકનોલોજી અને પ્રબંધન કૌશલ્ય તેમજ બજાર આધારિત કૃષિની હિમાયત કરતા રાજ્યપાલશ્રી



       ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યુ છે કે, ખેડૂતો પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક કૃષિ અપનાવીને રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી મુક્તિ મેળવી ખેતીમાં થતાં ખર્ચને ઘટાડીને ગુણવત્તાયુક્ત ખેત ઉત્પાદન મેળવી શકે છે. તેમણે જણાવ્યુ હતુ કેટેનોલોજીના જ્ઞાન અને પ્રબંધન કૌશલ્ય તેમજ બજાર આધારિત કૃષિ દ્વારા પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે શ્રેષ્ઠ સફળતા હાંસલ કરી શકાશે.

ગાંધીનગર સ્થિત ઉદયભાણસિંહજી ક્ષેત્રીય સહકારી પ્રબંધન સંસ્થાનની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ અભ્યાસક્ર્મની 13 મી બેચના શુભારંભ પ્રસંગે આ અભ્યાસક્રમમાં જોડાઇ રહેલાં કૃષિ સ્નાતકોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવા રાજ્યરપાલશ્રીએ અનુરોધ કર્યો હતો. ગુરુકુળ કુરુક્ષેત્રમાં 200 એકર જમીનમાં અપનાવેલી પ્રાકૃતિક કૃષિના સ્વાનુભવને વર્ણવતા રાજ્યપાલશ્રીએ વેબીનારના માધ્યમથી જણાવ્યુ હતુ કે, એક દેશી ગાયની મદદથી ત્રીસ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઇ શકે છે જેનાથી ઓછા ખર્ચે સ્વાસ્થ્યપ્રદ ખેત ઉત્પાદન મેળવી શકાય છે. પાણીની બચત થાય છે અને જમીનની ફળદ્રુપતા નિરંતર જળવાઇ રહે છે. તેમણે એમ પણ  જણાવ્યુ હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવામાં પ્રાકૃતિક કૃષિ મહત્વપૂર્ણ સાબિત થશે. 

   આ વેબીનારમાં ઉપસ્થિત રાજ્યના સહકાર વિભાગના સચિવશ્રી નલીનભાઇ ઉપાધ્યાયે કૃષિ અને સહકાર ક્ષેત્રની સિદ્ધિઓ વર્ણવી હતી જ્યારે સંસ્થાના નિયામકશ્રી અંજની કુમાર અસ્થાનાએ પ્રવૃત્તિની રૂપરેખા આપી હતી. કાર્યક્રમમાં સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર શ્રી ડી. પી. દેસાઇ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot