ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યુ છે કે, ખેડૂતો પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક કૃષિ અપનાવીને રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી મુક્તિ મેળવી ખેતીમાં થતાં ખર્ચને ઘટાડીને ગુણવત્તાયુક્ત ખેત ઉત્પાદન મેળવી શકે છે. તેમણે જણાવ્યુ હતુ કેટેનોલોજીના જ્ઞાન અને પ્રબંધન કૌશલ્ય તેમજ બજાર આધારિત કૃષિ દ્વારા પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે શ્રેષ્ઠ સફળતા હાંસલ કરી શકાશે.
ગાંધીનગર સ્થિત ઉદયભાણસિંહજી ક્ષેત્રીય સહકારી પ્રબંધન
સંસ્થાનની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ અભ્યાસક્ર્મની 13
મી બેચના શુભારંભ પ્રસંગે આ અભ્યાસક્રમમાં જોડાઇ રહેલાં કૃષિ સ્નાતકોને પ્રાકૃતિક કૃષિ
સાથે જોડાવા રાજ્યરપાલશ્રીએ અનુરોધ કર્યો હતો. ગુરુકુળ કુરુક્ષેત્રમાં 200 એકર જમીનમાં
અપનાવેલી પ્રાકૃતિક કૃષિના સ્વાનુભવને વર્ણવતા રાજ્યપાલશ્રીએ વેબીનારના માધ્યમથી જણાવ્યુ
હતુ કે, એક દેશી ગાયની મદદથી ત્રીસ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ
થઇ શકે છે જેનાથી ઓછા ખર્ચે સ્વાસ્થ્યપ્રદ ખેત ઉત્પાદન મેળવી શકાય છે. પાણીની બચત થાય
છે અને જમીનની ફળદ્રુપતા નિરંતર જળવાઇ રહે છે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ષ 2022 સુધીમાં
ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવામાં પ્રાકૃતિક કૃષિ મહત્વપૂર્ણ સાબિત
થશે.
No comments:
Post a Comment