Breaking

Post Top Ad

Your Ad Spot

Saturday, September 5, 2020

ર્ડા. સર્વપલ્લી રાઘાકૃષ્ણનના ૧૩૩માં જન્મ દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પૂષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો





       ગુજરાત વિધાનસભા ખાતેના પોડિયમમાં આજે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને આજીવન શિક્ષક એવા ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનના ૧૩૩માં જન્મ દિને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા અને રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી વિભાવરી બેન દવે દ્વારા ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનના તૈલચિત્રને પૂષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું મહત્વનું કામ શિક્ષક દ્વારા થાય છે જેના આધારે ભવિષ્યના શ્રેષ્ઠ નાગરિકો રાષ્ટ્રને મળે છે. બાળકોના યોગ્ય ઘડતર અને રાષ્ટ્રના હિતને ધ્યાને લેતાં સમયાનુસાર શિક્ષણ નીતિમાં ફેરફાર થવા જ જોઈએ. તાજેતરમાં અમલી બનેલી નવી શિક્ષણ નીતિથી રાષ્ટ્રને નવી દિશા મળશે.

આ પ્રસંગે મંત્રીશ્રી ચૂડાસમાએ જણાવ્યું કે ભારતના મહાન તત્વચિંતક ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં સમગ્ર ભારત દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ મનાવે છે. તેમણે જ તેમના જન્મ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાની પ્રેરણા આપી હતી. શિક્ષકો પોતાની સંપૂર્ણ શક્તિ રેડીને ભાવિ પેઢીનું નિર્માણ કરે છે. એટલે જ ખરા અર્થમાં રાષ્ટ્રના વિકાસનો મુખ્ય પાયો શિક્ષકો છે.

         ર્ડા. એસ.રાધાકૃષ્ણનનો જન્મ તા. પમી સપ્ટેમ્બર ૧૯૮૮માં તામિલનાડુના ચેન્નાઇ ( મદ્રાસ) થી ૨૦૦ કિ.મી દુર આવેલા તિરૂતાણી નાનકડા ગામમાં નિયોગી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

         અભ્યાસમાં અતિ તેજસ્વી ર્ડા.રાઘાકૃષ્ણન શિક્ષણ અને  જ્ઞાન પ્રાપ્તિ માટે અતિ ધાર્મિક અને પવિત્ર સ્થળ તિરૂપતિમાં રહીને અભ્યાસ કર્યો હતો. ભારતના ધર્મો, સંસ્કૃતિ, ધર્મો – શાસ્ત્રોનો ઉંડાણપૂર્વક અને તુલનાત્મક અભ્યાસ કરીને પુરવાર કર્યું કે, ભારતીય સસ્કૃતિની ધાર્મિક વિચારધારા ચેતના છે. અને ભારતનું આઘ્યાત્મિક આધારસ્તંભ ખૂબ જ મજબૂત અને સમૃદ્ધ છે. આજીવન શિક્ષણ ક્ષેત્રેના આ માનવે સમકાલીન રાષ્ટ્રીય પ્રવાહોથી તદૂન અલ્પિત રહેવાનું યોગ્ય માન્યું ન હતું. કોઇ એક રાજકીય પક્ષની વિચારસરણીના તે પુરસ્કર્તા ન હતા. દેશની આઝાદીના આંદોલનોથી તદૂન પર પણ ન હતા. ૧૯૧૫માં મહાત્મા ગાંધીજી સાથે મુલાકાત થયા પછી રાષ્ટ્રીય આંદોલનને ટેકો આપતાં અનેક લેખો તેમણે લખ્યા હતા.

         તેઓએ પશ્વિમના દેશોમાં ભારતીય વિચારસરણીનું તેજ પ્રસરાવનાર પ્રખર તત્વચિંતક, ગઝબના વક્તા, માનવવાદી રાજપુરૂષ અને મહાન લેખકે શિક્ષકો પ્રત્યે પોતાનું ઋણઅદા કરવા પોતાના જન્મ દિવસ તા. ૫મી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવા ઇચ્છા વ્યક્ત કરી હતી. તે દિવસથી દર વર્ષે તા.૦૫મી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ.

તેમણે વધુમાં જણાવ્યું કે, રાષ્ટ્રના બંધારણ તરીકેની ફરજ અત્યંત કુશળતા અને સફળતાથી બજાવી હતી. ૧૯૬૭ના પ્રજાસત્તાક દિને રાષ્ટ્રને સંબોધન કરતા તેમણે રાષ્ટ્રપતિ પદે વધુ સમય રહેવાની અનિચ્છા દર્શાવીને ગૌરવભેર જાહેર જીવનમાંથી નિવૃત્ત થયા હતા. અને પોતાના મૂળ કાર્યક્ષેત્રે અને જન્મભૂમિ મદ્રાસના નિવાસસ્થાને શેષ જીવન પૂર્ણ કરી તા. ૧૭ એપ્રિલ, ૧૯૭૫ના રોજ અનંત યાત્રાએ સીધાવ્યા હતા.

        આ પ્રસંગે વિધાનસભાના સચિવ શ્રી ડી.એમ.પટેલ, અઘિકારીઓ તેમજ સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં. 

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot