ભારતીય જનતા પાર્ટી-ગુજરાત પ્રદેશ દ્વારા આજરોજ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે "કૃષિ સુધારણા બિલ-૨૦૨૦" ને સમર્થીત જન જાગરણ અભિયાન અંતર્ગત "કિસાન સંમેલન" નું આયોજન ગુજરાત રાજ્યના યશશ્વિ ઉપ મુખ્યમંત્રી માનનીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ ની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું. અમુક લોકોના ફાયદા માટે કરોડો ખેડૂતો માટે ઉપકારક એવા કૃષિ કાયદાઓ રદ કરી શકાય નહીં તેવું પંચમહાલ જિલ્લામાં મોરવા હડફ ખાતે યોજાયેલ કૃષિ સંમેલનના અધ્યક્ષપદેથી બોલતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ કૃષિ સુધાર કાનૂન-૨૦૨૦ અંગે સમજણ આપતા કૃષિ સંમેલન રાજ્યભરમાં યોજાઈ રહ્યા છે ત્યારે મોરવા હડફ ખાતે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે સંયુક્ત રીતે યોજાયેલ આ સંમેલનના મંચ પરથી નાયબ મુખ્યમંત્રીએ ખેડૂતોના હિતમાં ઉપયોગી સુધારા કરાવવાને બદલે ખેડૂતોને પોતાના ઉત્પાદન દેશમાં ગમે ત્યાં વેચવાની અને માર્કેટ સેસ ભરવામાંથી મુક્તિ આપતા ક્રાતિકારી કાયદાઓ સમૂળગા રદ કરવાની વાત કરીને ખેડૂતને ગરીબ જ રાખવા માંગતા દેશવિરોધી તત્વોની વાતોથી ભોળવાઈ ન જવા જણાવ્યું હતું. કિસાન સંમેલન માં ઉપસ્થિત ખેડૂતો એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા પારીત કરવામાં આવેલ "કૃષિ સુધારણા બિલ-૨૦૨૦" ને પ્રચંડ આવકાર આપી "સ્વતંત્ર ખેડૂત-સશક્ત ખેડૂત" ની પરિકલ્પના ને સાકાર કરવા બદલ ભારતીય જનતા પાર્ટી તથા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનો આભાર વ્યક્ત કર્યો હતો. *રિપોર્ટર ચમન ભાઈ ચૌહાણ ગોધરા*
No comments:
Post a Comment