Breaking

Post Top Ad

Your Ad Spot

Wednesday, December 2, 2020

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની રાજ્યસભાના સાંસદ સ્વ. અભયભાઈ ભારદ્વાજને પુષ્પાંજલિ





 

અભયભાઈ ભારદ્વાજના નિધનથી ધારાશાસ્ત્રી જગત અને જાહેરજીવનને મોટી ખોટ પડી છે

-મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

.. .. .. ..

રાજકોટ ખાતે સ્વ.અભયભાઈ ભારદ્વાજના નિવાસસ્થાને  જઇ

પાર્થિવ દેહનેશ્રદ્ધાંજલિ આપી અંતિમયાત્રામાં જોડાતા મુખ્યમંત્રીશ્રી

.. .. .. ..
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યસભાના સાંસદ,રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી અને ભાજપા અગ્રણી શ્રી અભયભાઇ ભારદ્વાજનું નિધન થતા આજે રાજકોટ ખાતે  સ્વ. અભયભાઇ ભારદ્વાજના નિવાસસ્થાને જઈ પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી પુષ્પાંજલિ અર્પી હતી. મુખ્યમંત્રીશ્રીએ તેમના અદનાસાથી, સહકાર્યકર્તાના નિધનથી ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી અભયભાઇના શોકમગ્ન પરિવારજનોને સાંત્વના આપી હતી.
 
અભયભાઈ ભારદ્વાજના નિધનથી ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તેમના જવાથી જાહેર જીવનને- ધારાશાસ્ત્રી જગતને- સમાજને મોટી ખોટ પડી છે. અભયભાઈ રાજ્ય સભાના સાંસદ બનતા તેઓએ આદિવાસી વિસ્તારના વિકાસની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. કોરોના સામે તેઓએ ૯૦થી વધુ દિવસ લડત આપી હતી પરંતુ તેમનું નિધન થતાં અમે સારા મિત્ર ગુમાવ્યા છે એવી દુઃખની લાગણી મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. અભયભાઈએ પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી સમાજ સેવા માટે સમગ્ર જીવન વિતાવ્યું છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ભાજપાને પણ તેમના જવાથી મોટી ખોટ પડી છે તેમ જણાવ્યું હતું.
 
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણીએ રાજકોટ ખાતે સ્વ.અભયભાઇ ભારદ્વાજના નિવાસે  શ્રદ્ધાસુમન અર્પણ કરી સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
 
           મુખ્યમંત્રીશ્રી સ્વ.અભયભાઈની અંતિમયાત્રામાં જોડાયા હતા. કોરોના વાયરસની પ્રવર્તમાન મહામારીને ધ્યાનમાં રાખીને જરૂરી સોશિયલ ડીસ્ટન્સની તકેદારી સાથે સ્વ.અભયભાઇના નિવાસ્થાને અગ્રણીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ સ્વ.અભયભાઇના પુત્ર અંશભાઇ સહિતના પરિવારજનોને સાંત્વના પાઠવી ઈશ્વર તેમને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
 
સ્વ.અભયભાઇ ભારદ્વાજના અંતિમ દર્શન- શ્રદ્ધાસુમનમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુ,અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા,  સાંસદ શ્રી નરહરિભાઇ અમીન, શ્રી મોહનભાઇ કુંડારીયા, શ્રી રમેશભાઈ ધડુક, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ,અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા ,લલિત કગથરા,શ્રી કિરીટસિંહ રાણા, મેયર શ્રી બીનાબેન આચાર્ય, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી,અગ્રણી, અભયભાઇના નાના ભાઇ શ્રી નીતિનભાઇ ભારદ્વાજ, શ્રી કમલેશભાઈ મીરાણી, કમલેશભાઇ જોશીપુરા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયાતેમજરાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ વલ્લભભાઇ કથીરીયા, પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાસ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીશ્રીઓ,ભુવનેશ્ર્વરી પીઠ ગોંડલના આચાર્યશ્રી ઘનશ્યામજી મહારાજ, વ્હોરા- મુસ્લિમ સમાજના અગ્રણીઓ,  પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, કલેકટર સુશ્રી રેમ્યા મોહન,સંયુકત પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવશિયા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા, પીજીવીસીએલ એમડી શ્રી શ્વેતા તીઓટિયા, ભાજપ-સંગઠનના હોદ્દેદારો, બ્રહ્મસમાજના આગેવાનો, ધારાશાસ્ત્રીઓ, નગરસેવકો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot