Breaking

Post Top Ad

Your Ad Spot

Wednesday, December 16, 2020

ખાનગી દવાખાનાના મોટા ખર્ચાઓ સામે સરકારી દવાખાની નિઃશુલ્ક સારવારથી મુક્તિ મેળવતા કોરોનાના દર્દીઓ

 


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દિનપ્રતિદિન કોરોનાના અનેક દર્દીઓ નિઃશુલ્ક સારવાર મેળવી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલની કોરોનાની સારવાર સુશ્રુષા થકી લોકોને ભરોસો બેસી રહ્યો છે કે અહીં અમે શો ટકા સાજા થઈ જશું. 

સિક્કાના સ્ટેશન માસ્તર હેમંતકુમાર ત્રિવેદીએ કોરોનાને લાલ ઝંડી દેખાડી સ્વાસ્થ્ય મેળવ્યું હતું. આ અંગે તેમણે કહયું હતું કે, હું તો હાર્ટના ઓપરેશન માટે તૈયારી કરતો હતો ત્યારે મને કોરોના ડિટેકટ થયું અને તુર્તજ મને રાજકોટ સિવિલ કોવીડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અહીં ડોક્ટર અને પેરા મેડિકલ સ્ટાફની નિયમિત સારવાર, દવા, ભોજન અને સંપૂર્ણ કાળજીના કારણે હું કોરોનામુક્ત બન્યો છું.

ડોક્ટર હોવા છતાં ખાનગી દવાખાનાને બદલે સિવિલ પર ભરોસો કરતા ડો. એન.બી. સરવૈયા   જણાવે છે કે બહારના ખોટા ખર્ચાઓ કરવા કરતા સરકારી દવાખાનમાં મળતી ઉત્કૃષ્ટ સારવારનો લાભ બધાએ લેવો જોઈએ.

જયારે ૭૫ વર્ષના પ્રદીપભાઈ જોશીને કોરોનાની ગંભીર અસર થઈ ગઈ હોવા છતાં પણ તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા. તેમનું કહેવું છે કે, ગંભીર પરિસ્થિતિમાં પણ અહીંની સારવારથી દર્દીઓ કોરોના સામે સ્વસ્થ થઈ શકે છે.

પડધરીના પ્રાગજીભાઈ ચાવડા ભીના હ્ર્દયે જણાવે છે કે, ભગવાનની દયાથી વિશેષ ડોકટરોના આશીર્વાદથી જ મને કોરોના મટ્યો છે. સારવારમાં કોઈ કચાશ ન રહી જાય તેની સંપૂર્ણ તકેદારી તમામ સ્ટાફ રાખે છે.  અન્ય દર્દી ઝાલા ઇન્દ્રસિંહ આજરોજ કોરોના મુક્ત બનતા સિવિલ હોસ્પિટલ અને સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માની લોકોને સિવિલ હોસ્પિટલ પર ભરોસો રાખવા જણાવે છે

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot